SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૬ સત્તરમું પર્વ પદ્મપુરાણ અગોચર છે તે આવી મળે છે. કર્મોની ગતિ વિચિત્ર છે તેથી હે દેવી! તમે ગર્ભના ખેદથી પિડાવ છો, વૃથા કલેશ ન કરો, તમે તમારું મન દઢ કરો. તમે જે પૂર્વજન્મમાં કર્મ ઉપાર્યા છે તેનાં ફળ ટાળવાથી ટળતાં નથી અને તમે તો મહાન બુદ્ધિશાળી છો. તમને હું શી શિખામણ આપે? જો તમે ન જાણતા હો તો હું કહું, એમ કહીને તેના નેત્રમાં આંસુ પોતાના વસ્ત્રથી લૂછયાં, વળી કહેવા લાગી કે હે દેવી ! આ સ્થળ આશ્રયરહિત છે, માટે ઊઠો આગળ ચાલીએ અથવા પહાડની નજીક કોઈ ગુફા હોય, જ્યાં દુરોનો પ્રવેશ ન થાય ત્યાં જઈએ. તમારી પ્રસૂતિનો સમય નજીક આવ્યો છે તેથી કેટલાક દિવસ સાવચેતીથી રહેવું જોઈએ. ત્યારે તે ગર્ભના ભારથી આકાશમાર્ગે પણ ચાલવાને અશક્ત હતી તો પણ ભૂમિ પર સખીની સાથે ગમન કરવા લાગી, મહાકષ્ટથી તે પગલાં ભરતી. વન અનેક અજગરોથી ભરેલું છે, દુષ્ટ જીવોના નાદથી અત્યંત ભયાનક છે, અતિ ગીચ છે, જાતજાતનાં વૃક્ષોથી સૂર્યનાં કિરણોનો પણ ત્યાં સંચાર થતો નથી, સોયની અણી જેવી ડાભની અણી અતિતીર્ણ છે, ખૂબ કાંકરા છે, મત્ત હાથીઓ અને ભીલો પણ ઘણા છે, વનનું નામ માતંગમાલિની છે. જ્યાં મનની પણ ગતિ નથી ત્યાં તનની ગતિ ક્યાંથી થાય ? સખી આકાશમાર્ગે ચાલવાને સમર્થ છે, પણ આ ગર્ભના ભારથી ચાલવા સમર્થ નથી તેથી સખી તેના પ્રેમના બંધનથી બંધાયેલી શરીરની છાયાની જેમ તેની સાથે સાથે ચાલે છે. અંજના વનને અતિભયાનક જોઈને કંપે છે, દિશા પણ ભૂલી જાય છે ત્યારે વસંતમાલા એને અતિવ્યાકુળ જાણી તેનો હાથ પકડી કહેવા લાગી, હું સ્વામિની ! તમે ડરો નહિ, મારી પાછળ પાછળ ચાલ્યા આવો. ત્યારે તે સખીના ખભે હાથ મૂકીને ચાલવા લાગી, જેમ જેમ ડાભની અણી ભોંકાતી તેમ તેમ અતિ ખેદખિન્ન થતી, વિલાપ કરતી, મહાકષ્ટ શરીરને ટકાવતી, તીવ્ર વેગથી વહેતા પાણીના ઝરણાને કષ્ટપૂર્વક પાર કરતી, પોતાના અતિનિર્દય સર્વ સ્વજનોને યાદ કરી અશુભ કર્મને વારંવાર નિંદતી, ભયભીત હરણીની જેમ વેલોને પકડતી, શરીરે પરસેવાના રેલા વહાવતી, કાંટામાં વસ્ત્ર ભરાઈ જાય ત્યારે માંડ છોડાવતી, જેના પગ લોહીથી લાલ થઈ ગયા છે એવી, શોકરૂપ અગ્નિના દાથી કાળી પડી ગયેલી, પાંદડાં હલે તો પણ ફફડતી, વારંવાર વિશ્રામ લેતી, ધીરેધીરે અંજના પહાડની તળેટી આવી ત્યાં આંસુભરેલી બેસી ગઈ. સખી તેને પ્રિય વચનોથી ધેર્ય આપવા લાગી. તે સખીને કહેવા લાગી કે હવે મારામાં એક ડગલું ભરવાની પણ શક્તિ નથી, હું અહીં જ રહીશ, મરણ થાય તો ભલે થાય. સખી તેને અત્યંત પ્રેમથી, મનોહર વચનોથી શાંતિ પમાડતી નમસ્કાર કરીને કહેવા લાગી હે દેવી! આ ગુફા નજીક જ છે, કૃપા કરીને અહીંથી ઊઠીને ત્યાં સુખપૂર્વક બેસો. અહીં ક્રૂર જીવો વિચરે છે, તમારે ગર્ભની રક્ષા કરવાની છે, માટે હુઠ ન કરો. ત્યારે તે આતાપની ભરેલી સખીના વચનથી અને ગાઢ વનના ભયથી ચાલવા માટે ઊભી થઈ અને સખી તેને હાથનો ટેકો આપીને, વિષમ ભૂમિમાંથી બહાર લાવી ગુફાના દ્વાર પર લઈ ગઈ. વગર વિચાર્યું ગુફામાં બેસવામાં ભય છે એમ સમજી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008396
Book TitleRam Charitra
Original Sutra AuthorRavishenacharya
Author
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1999
Total Pages681
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy