SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ કલશમૃત ભાગ-૬ વ) કર્મજનિત ભાવમાં આત્મબુદ્ધિ એવો છે જે મિથ્યાત્વરૂપ વિભાવપરિણામ, તેના કારણે જીવ કર્તા છે. ભાવાર્થ આમ છે કે-જીવવસ્તુ રાગાદિ વિભાવપરિણામની કર્તા છે એવો જીવનો સ્વભાવગુણ નથી, પરંતુ અશુદ્ધરૂપ વિભાવપરિણતિ છે. “તદ્દમાવત્ કરવ:' (તદ્દમાવત) મિથ્યાત્વ-રાગ-દ્વેષરૂપ વિભાવપરિણતિ મટે છે, તે મટતાં (વIRવ:) જીવ સર્વથા અકર્તા થાય છે. ૨–૧૯૪. (અનુષ્ટ્રપ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२-१९४।। ચ વિત: ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો...” “ચ વિતઃ “વિત: આ ચેતનમાત્ર જીવનો સ્વભાવ. “ચ વિત: આ આત્માનો ચેતન સ્વભાવ. “મરચ વિત: આ આત્માનો ચેતન સ્વભાવ. “નૃત્વ ને સ્વમાવ: આહાહા. ચૈતન્યમાત્ર સ્વરૂપ જીવનો. જ્ઞાનાવરણાદિ કર્મને કરે.” એવો કોઈ સ્વભાવ નથી. એ પરદ્રવ્ય જડ લીધું. “અથવા રાગાદિ પરિણામને કરે.” આહાહા...! શુભરાગ, વ્રત, તપ, ભક્તિ, પૂજાનો ભાવ થાય છે એ પણ શુભરાગ છે અને એ શુભરાગનો કર્તા આત્મા થાય એમ છે નહિ. આહાહા.. કેમકે એમાં એવો કોઈ ગુણ, શક્તિ, સ્વભાવ નથી. આહાહા.. જેની દૃષ્ટિ સ્વભાવ ઉપર થઈ અને નિજ સ્વભાવનું ભાન થયું એમાં મૂળમાંથી પરના કર્તાપણાનો નાશ થઈ જાય છે. આહાહા...! સમજાણું કઈ છે? “રાગાદિ પરિણામને...” બેય લીધા. જડકર્મ તો નિમિત્તથી કથન છે. ખરેખર તો અંદર રાગાદિ છે. શુભરાગ છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, પંચ મહાવ્રતના પરિણામ એ રાગ છે. આહાહા.! રાગાદિનો કર્તા આત્મા નથી. કેમકે જે વિભાવરૂપી પર્યાયની વિકૃત અવસ્થા છેએમાં કોઈ ગુણ એવો નથી કે વિભાવની ક્રિયા કરે. આહાહા.દ્રવ્ય, જીવદ્રવ્યના સ્વભાવમાં એવી કોઈ એક શક્તિ નથી. અનંત શક્તિઓ છે. જીવદ્રવ્યમાં અનંત શક્તિઓ છે પણ કોઈ એવી શક્તિ નથી કે દયા, દાનના વિકલ્પને કરે એવી કોઈ શક્તિ નથી. આહાહા! તેથી એમ કહ્યું કે, આત્મામાં અનંત શક્તિ છે પણ વ્યવહાર રત્નત્રયનો જે શુભરાગ છે તેને આત્મા કરે એવો કોઈ ગુણ નથી. આહાહા...! “સુમનભાઈ ! આ તમારું બધું બહારનું કિરવું ક્યાં ગયું? આહાહા...! આ તો શાંતિનો માર્ગ છે, ભગવાના આત્મામાં અનંત બેસુમાર શક્તિ છે પણ કોઈ એવી શક્તિ નથી કે વ્યવહાર રત્નત્રયના રાગને કરે એવી કોઈ શક્તિ નથી. આહાહા.! આવે છે તો તેને જાણે છે. ઝીણી વાત છે, ભાઈ! અત્યારે તો માર્ગ બહુ ફરી ગયો છે, ઘણો ફેરફાર થઈ ગયો). એવું લાગે કે
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy