SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૯૪ ૯૧ નથી, પણ તેમનું લક્ષ કરીને રાગનો કર્તા થાય છે અને રાગનો ભોક્તા થાય છે એ જીવનો સ્વભાવ નથી. જીવનો સ્વભાવ નથી પણ એના કોઈ ગુણનો સ્વભાવ નથી. આહાહા...! છે? અનંત ભેદ તેમનો મૂળથી વિનાશ કરીને. આમ કહે છે. જેણે એ વિકલ્પના અનંત પ્રકારનો મૂળથી નાશ કરી દીધો છે તેનું નામ આત્મદ્રવ્યનું જ્ઞાન અને સમ્યગ્દર્શન કહે છે. આહાહા.! સમજાણું કાંઈ? અનંત પરદ્રવ્ય તરફનું લક્ષ કરીને કોઈપણ કાળમાં અનંત પદાર્થ પ્રત્યેનો જે વિકલ્પ ઊઠે છે તેનો કર્તા તો નથી પણ એ તરફનું લક્ષ કરીને અનંત પ્રકારના વિકલ્પ ઊઠે છે, એમ કહે છે. નહિતર તો છે તો અસંખ્ય પ્રકાર. પણ અનંત પદાર્થ છે એ પણ બેસુમાર અનંત પદાર્થ છે તેનું લક્ષ કરીને રાગનું કરવું, વિકલ્પનું કરવું... છે ને? “અનંત ભેદ તેમનો મૂળથી વિનાશ કરીને. આહાહા...! મૂળમાંથી પર તરફના લક્ષના અનંત પ્રકારના વિકલ્પના, રાગના ભેદ. આહાહા. તેમનો મૂળથી વિનાશ કરીને જેવો છે તેવો અનુભવ, સમ્યગ્દર્શન થાય છે, એમ કહે છે. આહાહા...! જેવું છે તેવું જ છે તે શું કરતું થકું એવું છે કે, મૂળમાં જે અનંત પ્રકારની વિકલ્પની જાત છે તેનો મૂળથી વિનાશ કરીને. અંતરમાં જેવો છે તેવા આત્માનું સમ્યગ્દર્શનમાં ભાન થઈ ગયું. આહાહા...! સમજાણું કાંઈ? અને જેવો છે તેવો પ્રગટ પણ થઈ ગયો. પર્યાયમાં જેવો છે તેવો પ્રગટ થઈ ગયો. સૂક્ષ્મ વાત છે. આ બહારની ધમાલ, આમ કરવું ને તેમ કરવું એ વાત તો અહીંયાં છે જ નહિ, પણ બહારનું લક્ષ કરીને વિકલ્પ ઉત્પન્ન થાય છે તેનો મૂળથી વિનાશ કરીને. આહાહા...! આત્મા જ્ઞાતા-દષ્ટા આનંદની ઉત્પત્તિ થઈ તે મૂળથી વિકલ્પનો નાશ કરીને ઉત્પન્ન થઈ. આહાહા...! ઝીણું બહુ ભાઈ! આહાહા.! ઈ પહેલા શ્લોકનો અર્થ થયો. હવે બીજો શ્લોક. (અનુષ્ટ્રપ) कर्तृत्वं न स्वभावोऽस्य चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं तदभावादकारकः ।।२-१९४।। ખંડાન્વય સહિત અર્થ :- “સર્ચ વિત: સ્તૃત્વ ન રમવા (ચ વિત:) ચૈતન્યમાત્રસ્વરૂપ જીવનો, (વર્તુત્વ) જ્ઞાનાવરણાદિ કર્મને કરે અથવા રાગાદિ પરિણામને કરે એવો (સ્વમાવ:) સહજનો ગુણ નથી; દૃિષ્ટાન્ત કહે છે–] વેયિતૃત્વવત જેમ જીવ કર્મનો ભોક્તા પણ નથી. ભાવાર્થ આમ છે કે-જો જીવદ્રવ્ય કર્મનું ભોક્તા હોય તો કર્તા હોય; તે તો ભોક્તા પણ નથી, તેથી કર્તા પણ નથી. “વર્તી એજ્ઞાનાત્ વ' (ચં) આ. જ જીવ (વર્તા) રાગાદિ અશુદ્ધ પરિણામને કરે છે એવું પણ છે તે શા કારણથી? (અજ્ઞાનાત્
SR No.008393
Book TitleKalashamrut 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2008
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy