SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯૦ http://www.ShrimadRajchandra.org ભસ્થિતિ દેવ આદિ યોનિમાં ઉત્પત્તિના કાળની મર્યાદા. ભવિતવ્યતા પ્રારબ્ધ નસીબ. ભવ્ય-મોક્ષ પામવાને લાયક, યોગ્ય, ભામિની સ્ત્રી. ભામો-વહેમ; ભ્રમણા. ભાવ-પરિણામ: ગુણ; પદાર્થ, ભાવઆસવ-આત્માના જે ભાવોથી કર્મ આવે છે તે રાગદ્વેષ આદિ ભાવ. ભાવનય-જે નય ભાવને ગ્રહણ કરે. ભાવનિદ્રા-મિથ્યાત્વ: રાગદ્વેષાદિ પરિણામ. ભાવશૂન્ય-ભાવ વગર. ભાવશ્રુત-શ્રવણ વડે જે જ્ઞાન થાય છે તે. ભાષ્ય-વિસ્તારવાળી ટીકા. ભાવસમાધિ-આત્માની સ્વસ્થતા. ભિન્નભાવ-જાદાઈ. ભૂરસી દક્ષિણા-લાંચ; બાંધી રકમની દક્ષિણા. ભેદજ્ઞાન-જડચેતનનું જ્ઞાન. ભ્રમ ભૂરકી-વહેમની ભસ્મ રાખ. ભ્રાંતિ-મિથ્યાજ્ઞાન; અસદારોપ. મ શ્રીમદ્ રાજચંદ્ર મતાર્થી નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા એ મતાર્થી દુર્ભાગ્ય. આત્મસિદ્ધિ ગાથા ૩૨) મતિજ્ઞાન-ઇન્દ્રિય તથા મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે. મધ્યમાંવાચા-બહુ ઊંચી નહીં તેમ અતિ ધીમી નહીં: વાણીનો એક પ્રકાર. મધ્યસ્થતા-ઉદાસીનતા; રાગદ્વેષ રહિતપણું. મનન-વિચાર. મહાઆરંભ અતિશય આરંભ-મહાન હિસંક વ્યાપાર આદિ કાર્ય. મહામિથ્યાત્વ-ઘણું અજ્ઞાન, જેના ઉંદયમાં સદુપદેશ પણ ન ગમે. મહાપ્રતિમા-અભિગ્રહવિશેષ મહાવિદેહ-ક્ષેત્રવિશેષ, જ્યાંથી જીવો કાયમ મોક્ષે જઈ શકે. મંત્ર-દેવતા અધિષ્ઠિત અક્ષરવિશેષ; જાપ કરવા યોગ્ય અક્ષર ગુપ્ત વાતચીત. માયા ભતિ: કપટ. માયિક સુખ-સંસારનું સુખ. માર્ગાનુસારી-“તેવા (આત્મજ્ઞાની) પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.” (પત્રાંક ૪૩૧) મિતાડારી પ્રમાણસર જમનાર. મિથ્યાર્દષ્ટિ-જેને આત્માનું ભાન નથી. મિશ્ર ગુણસ્થાન-જે ગુણસ્થાનમાં આત્માની પરિણતિ ન તો સમ્યક્ હોય ન મિથ્યાત્વરૂપ હોય એવી જે ભૂમિકા તે મિશ્ર ગુણસ્થાન, મુક્તિશિલા-સિદ્ધ સ્થાનની નીચે આવેલી ૪૫ લાખ યોજનની સિદ્ધશિલા. મુનિ-જેને અધિ, મનપર્યવજ્ઞાન હોય તથા કેવળ- જ્ઞાન હોય તે. મુમતિ-મુખ આગળ રાખવાનો કપડાનો કટકો. મુમુક્ષુ મોક્ષની ઇચ્છાવાળો; સંસારથી છૂટવાની જેની અભિલાષા છે તે. મુમુક્ષુતા સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો તે. (પત્રાંક ૨૫૪) મૂર્છાભાવ-પરપદાર્થ પ્રત્યે આસક્તિ. મૂઢદૃષ્ટિ-અજ્ઞાનભાવ; સંસદના વિવેક વગરની માન્યતા. મૃષા-ખોટું; અસત્ય, મેધાવી-બુદ્ધિમાન; પ્રજ્ઞાવાળો, મેષોન્મેષ-આંખનું ઉઘાડવું ને બંધ કરવું. મૈત્રી-સર્વ જગતથી નિર્દેરબુષ્ઠિ. (પત્રક ૫૭) મોક્ષ-આત્માથી કર્મોનું સર્વથા છૂટી જવું તે મોક્ષ. મોક્ષમાર્ગ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રની એકતા તે મોક્ષમાર્ગ સમ્પર્શનશાન- પારિમાણિ મોક્ષમાર્ગ: (તત્ત્વાર્થસૂત્ર) મોક્ષસુખ-અલૌકિક સુખ; આત્માનંદ. જે સુખ મુખેથી કહી શકાતું નથી. (વિશેષ માટે જાઓ મોક્ષમાળા પાઠ ૭૩) મહાવ્રત-સાધુઓનાં વ્રતોને મહાવ્રત કહેવામાં આવે છે. મોહ-જે આત્માને ગાંડો બનાવી દે; સ્વ તથા પરનું મહિષ પાડો. ભાન ભુલાવે; પરપદાર્થોમાં એકત્વબુદ્ધિ કરાવે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy