SearchBrowseAboutContactDonate
Page Preview
Page 951
Loading...
Download File
Download File
Page Text
________________ અ http://www.ShrimadRajchandra.org પરિશિષ્ટ પ પરિશિષ્ટ ૫ અકર્મ ભૂમિ-ભોગભૂમિ, અસિ. મસિ, કૃષિ આદિ ષટ્કર્મ રહિત ભોગભૂમિ; મોક્ષને અયોગ્ય ક્ષેત્ર. અકાલ-અસમય. અગુરુલઘુ-ગુસ્તા અને લધુતા રહિત, એવો પદાર્થ- નો સ્વભાવ. અોપ્ય પ્રગટ. અગિયારમું ગુણસ્થાનક-ઉપશાંત મોહ. અધ-પાપ અચિત-જીવ વિનાનું, અચેતન-જડ પદાર્થ. અજ્ઞાન-મિથ્યાત્વ સહિતનું જ્ઞાન તે અજ્ઞાન, જુઓ પત્રાંક ૭૬૮. શબ્દાર્થ અજ્ઞાન પરિષહ-સત્પુરુષનો યોગ થયા છતાં જીવને અજ્ઞાનનાં કારણો ટાળવામાં હિંમત ન ચાલી શકતી હોય, મુઝવણ આવી જતી હોય,આટ- આટલું કર્યાં છતાં, હજી જ્ઞાન કેમ નથી પ્રગટતું એમ થયા કરે તે. પત્રાંક ૫૩૭ અડવી-શોભા વગરની. અઢાર દોષ-પાંચ પ્રકારના અંતરાય (દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યંતરાય), હાસ્ય, રતિ, અરતિ, ભય, જાગુપ્સા, શોક, મિથ્યાત્વ, અજ્ઞાન, અપ્રત્યા-ખ્યાન, રાગ, દ્વેષ, નિદ્રા, અને કામ. (મોક્ષમાળા) અણલિંગ-જેનું કોઈ ખાસ બાહ્ય ચિહ્ન નથી. કોઈ પ્રકારના વેષથી પર. અાહારી આહાર ન કરનાર. અણુ સૂક્ષ્મ, અલ્પ (વૃત); પુદ્ગલનો નાનામાં નાનો ભાગ. અણ છતું-નાનું હોવા છતાં અણુવ્રત અલ્પવત: જે વ્રતોને શ્રાવકો ધારણ કરે છે. અતિક્રમ-મર્યાદાનું ઉલ્લંઘન. અતિચાર-દોષ (લીધેલા વ્રતને મલિન કરે તેવો વ્રતભંગના ઇરાદાપૂર્વક નહીં આચરેલો દોષ). અતિપરિચય ગાઢ સંબંધ; હદ કરતાં વધારે પરિચય અતીતકાળ ભૂતકાળ. અથથી ઇતિ-પહેલેથી છેલ્લે સુધી. ૮૭૭ અદત્તાદાન-નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી; ચોરી. અદ્વૈત-એક જ વસ્તુ; એક આત્મા કે બ્રહ્મ વિના જગતમાં બીજાં કંઈ નથી એવી માન્યતા. અધર્મ દ્રવ્ય-જીવ અને પુદગલને સ્થિતિમાં ઉદાસીન સહાય આપનાર, છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય. અધિકરણ ક્રિયા-તલવાર આદિના આરંભ-સમારંભ- ના નિમિત્તથી લાગનું કર્મબંધના પત્રાંક પરર અધિષ્ઠાન-હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જેમાં તે લય પામી. પત્રાંક ૨૨૦ અધીપ્ર યોગ્ય. અધોદશા-નીચી અવસ્થા. અહ્વાસમય-કાલનો નાનામાં નાનો અંશઃ વસ્તુનું પરિવર્તન થવામાં નિમિત્તરૂપ, એક દ્રવ્ય. અધ્યાત્મ-આત્મા સંબંધી. અધ્યાત્મમાર્ગ યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે અધ્યાત્મમાર્ગ. પત્રાંક ૯૧૮. અધ્યાત્મશાસ્ત્ર-જે શાસ્ત્રોમાં આત્માનું કથન છે તે. “નિજ સ્વરૂપ જે કિરિયા સાધે; તેહ અધ્યાત્મ લડીએ રે." આનંદઘનજી, અધ્યાસ-મિથ્યા આરોપણ; ભ્રાંતિ. અનગાર-મુનિ; સાધુ; ઘર વિનાના. અનધિકારી-અધિકાર વિનાનું; અપાત્ર, આત્મસિદ્ધિ ગાથા ૩૧. અનન્યભાવ-ઉત્કૃષ્ટ ભાવ; શુદ્ધ ભાવ. અનન્યશરણ જેના જેવું બીજું શરણ નથી. અનભિસંધિ-કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનંતકાય-જેમાં અનંત જીવો હોય તે; તેવાં શરીરોવાળા, કંદમૂલાદિ. અનંત ચારિત્ર-મોહનીય કર્મના અભાવથી જે આત્મસ્થિરતા થાય છે તે અનંતજ્ઞાન-કેવળજ્ઞાન. અનંતદર્શન કેવળદ ર્શન. અનંત રાશિ ઘણી મોટી રા.િ અનાકાર-આકારનો અભાવ.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy