SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૧ ૮૦૫ તેની કેવા પ્રકારે નિવૃત્તિ કરવી, એ હજી વિશેષપણે મારે વિચારવું ઘટે છે એમ માનું છું, કેમકે વીર્યને વિષે કંઈ પણ મંદ દશા વર્તે છે. તે મંદ દશાનો હેતુ શો ? ઉદયબળે પ્રાપ્ત થયો એવો પરિચય માત્ર પરિચય, એમ કહેવામાં કંઈ બાધ છે ? તે પરિચયને વિષે વિશેષ અરુચિ રહે છે, તે છતાં તે પરિચય કરવો રહ્યો છે. તે પરિચયનો દોષ કહી શકાય નહીં, પણ નિજદોષ કહી શકાય. અરુચિ હોવાથી ઇચ્છારૂપ દોષ નહીં કહેતાં ઉદયરૂપ દોષ કહ્યો છે. ઘણો વિચાર કરી નીચેનું સમાધાન થાય છે. ૪૦ [ ાથનોંધ ૧, પૃષ્ઠ ૯૬ ] એકાંત દ્રવ્ય, એકાંત ક્ષેત્ર, એકાંત કાળ અને એકાંત ભાવરૂપ સંયમ આરાધ્યા વિના ચિત્તની શાંતિ નહીં થાય એમ લાગે છે, એવો નિશ્ચય રહે છે. તે યોગ હજી કંઈ દૂર સંભવે છે, કેમકે ઉદયનું બળ જોતાં તે નિવૃત્ત થતાં કંઈક વિશેષ કાળ જશે, ૪૧ [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૭ ] માહ સુદ ૭ શનિવાર - વિક્રમ સંવત ૧૯૫૧ ત્યાર પછી દોઢ વર્ષથી વધારે સ્થિતિ નહીં. – અને તેટલા કાળમાં ત્યાર પછી જીવનકાળ શી રીતે વેદવો તે વિચારવાનું બનશે. ૪૨ अवि अप्पणो वि देहमि, नायरंति ममाइयं । [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૯૮ ] ૪૩ [ હાથ નોંધ ૧. પૃષ્ઠ ૧૦૦ ] કામ, માન અને ઉતાવળ એ ત્રણનો વિશેષ સંયમ કરવો ઘટે છે. ૪૪ હૈ જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા, નિવૃત્ત । [ હાથનોંધ : પૃષ્ઠ 101 ] તે વ્યવસાય કરવાને વિષે ગમે તેટલો બળવાન પ્રારબ્ધોદય દેખાતો હોય તોપણ તેથી નિવૃત્ત થા, નિવૃત્ત ! જોકે શ્રી સર્વજ્ઞે એમ કહ્યું છે કે ચૌદમે ગુણઠાણે વર્તતો એવો જીવ પણ પ્રારબ્ધ વૈદ્યા વિના મુક્ત થઈ શકે નહીં, તોપણ તું તે ઉદયનો આશ્રયરૂપ હોવાથી નિજ દોષ જાણી તેને અત્યંત તીવ્રપણે વિચારી તેથી નિવૃત્ત થા નિવૃત્ત । કેવળ માત્ર પ્રારબ્ધ હોય, અને અન્ય કર્મદશા વર્તતી ન હોય તો તે પ્રારબ્ધ સહેજે નિવૃત્ત થવા દેવાનું બને છે, એમ પરમ પુરુષે સ્વીકાર્યું છે, પણ તે કેવળ પ્રારબ્ધ ત્યારે કહી શકાય કે જ્યારે પ્રાણાંતપર્યંત નિષ્ઠાભેદદૃષ્ટિ ન થાય, અને તને સર્વ પ્રસંગમાં એમ બને છે, એવું જ્યાં સુધી કેવળ નિશ્ચય ન થાય ત્યાં સુધી શ્રેય એ છે કે, તેને વિષે ત્યાગબુદ્ધિ ભજવી, આ વાત વિચારી હૈ જીવ ! હવે તું અલ્પ કાળમાં નિવૃત્ત થા, નિવૃત્ત | ૪૫ હે જીવ ! હવે તું સંગનિવૃત્તિરૂપ કાળની પ્રતિજ્ઞા કર, પ્રતિજ્ઞા કર ! [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૨ ]
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy