SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર વાળો છે; તથાપિ તે તીક્ષ્ણ ઉપયોગ બીજા કોઈ પણ વિષયમાં વાપરવા તે પ્રીતિ ધરાવતો નથી. ૫ ાિશનોંધ ૧. પૃષ્ઠ ૪] [હાથનોંધ ૧, પૃષ્ઠ ૯] એક વાર તે સ્વભુવનમાં બેઠો હતો. જગતમાં કોણ સુખી છે, તે જોઉં તો ખરો, પછી આપણે આપણે માટે વિચાર. એની એ જિજ્ઞાસા પૂર્ણ કરવા અથવા પોતે તે સંગ્રહસ્થાન જોવા ઘણા પુરુષો (આત્માઓ), ઘણા પદાર્થો તેની સમીપે આવ્યા. "એમાં કોઈ જડ પદાર્થ હતો નહીં.' "કોઈ એકલો આત્મા જોવામાં આવ્યો નહીં. માત્ર કેટલાક દેહધારીઓ હતા; જેઓ મારી નિવૃત્તિને માટે આવ્યા હોય એમ તે પુરુષને શંકા થઈ. વાયુ, અગ્નિ કે પાણી, ભૂમિ એ કોઈ કેમ આવ્યું નથી ? (નેપથ્ય) તેઓ સુખનો વિચાર પણ કરી શકતાં નથી. દુઃખથી બિચારાં પરાધીન છે. બેઇંદ્રિય જીવો કેમ આવ્યા નથી ? (નેપથ્ય) એને માટે પણ એ જ કારણ છે. આ ચક્ષુથી જુઓ, તેઓ બિચારાને કેટલું બધું દુઃખ છે ? તેનો કંપ, તેનો ઘરઘરાટ, પરાધીનપણું ઇત્યાદિક જોઈ શકાય તેવું નહોતું, તે બહુ દુઃખી હતાં. (નેપથ્ય) એ જ ચક્ષુથી હવે તમે આખું જગત જોઈ લો. પછી બીજી વાત કરો. ઠીક ત્યારે. દર્શન થયું, આનંદ પામ્યો; પણ પાછો ખેદ જન્મ્યો. નિપધ્ય) હવે ખેદ કાં કરો છો ? મને દર્શન થયું તે શું સમ્યક હતું ? ‘હા.’ સમ્યક્ હોય તો પછી ચક્રવર્ત્યાદિક તે દુઃખી કેમ દેખાય ? 'દુઃખી હોય તે દુઃખી, અને સુખી હોય તે સુખી દેખાય.' ચક્રવર્તી તો દુઃખી નહીં હોય ? જેમ દર્શન થયું તેમ શ્રદ્ધો. વિશેષ જોવું હોય તો ચાલો મારી સાથે.’ ચક્રવર્તીના અંત:કરણમાં પ્રવેશ કર્યો. [ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦ ] અંતઃકરણ જોઈને પેલું દર્શન સમ્યક્ હતું એમ મેં માન્યું. તેનું અંતઃકરણ બહુ દુ:ખી હતું. અનંત ભયના પર્યાયથી તે થરથરતું હતું. કાળ આયુષ્યની દોરીને ગળી જતો હતો. હાડમાંસમાં તેની વૃત્તિ હતી. કાંકરામાં તેની પ્રીતિ હતી. ક્રોધ, માનનો તે ઉપાસક હતો. બહુ દુઃખ- વારુ, આ દેવોનું દર્શન પણ સમ્યક સમજવું ? નિશ્ચય કરવા માટે ઇન્દ્રના અંતઃકરણમાં પ્રવેશ કરીએ.” ચાલો ત્યારે- | હાથનોંધ ૧. પૃષ્ઠ ૧૧ | (તે ઇંદ્રની ભવ્યતાથી ભૂલ ખાધી.) તે પણ પરમ દુ:ખી હતો, બિચારો ચવીને કોઈ બીભત્સ સ્થળમાં જન્મવાનો હતો માટે ખેદ કરતો હતો. તેનામાં સમ્યદૃષ્ટિ નામની દેવી વસી હતી. તે તેને ખેદમાં વિશ્રાંતિ હતી. એ મહાદુઃખ સિવાય તેનાં બીજાં ઘણાંય અવ્યક્ત દુખ હતાં.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy