SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯૦ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૨ જીવના અસ્તિત્વપણાનો તો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં નિત્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. જીવનાં ચૈતન્યપણાંનો, ત્રિકાળ હોવાપણાનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તેને કોઈ પણ પ્રકારે બંધદશા વર્તે છે એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. તે બંધની નિવૃત્તિ કોઈ પણ પ્રકારે નિસંશય ઘટે છે, એ વાતનો કોઈ કાળે પણ સંશય પ્રાપ્ત નહીં થાય. મોક્ષપદ છે એ વાતનો કોઈ પણ કાળે સંશય નહીં થાય. ૪ તે બે ઇંદ્રિયોથી નહીં પણ જેનો બોધ રસેનિયી થઈ શકે છે તે પદાર્થો પણ આ જીવન નથી, ઇત્યાદિ. ૫ એ ત્રણ ઇંદ્રિયોથી નહીં પણ જેનું જ્ઞાન સ્પર્શેદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. ૭ ૮ ૯ ૧૦ ૧૧ એ ચાર ઇંદ્રિયથી નહીં પણ જેનું જ્ઞાન કદ્રિયથી થઈ શકે છે તે પણ આ જીવના નથી, ઇત્યાદિ. તે પાંચ ઇન્દ્રિય સહિત મનથી અથવા તે પાંચમાંની એકાદ દ્રિય સહિત મનથી વા તે કયો વિના એકલા મનથી જેનો બોધ થઈ શકે એવા રૂપી પદાર્થ પણ આ જીવના નથી; પણ તેનાથી પર છે, ઇત્યાદિ. તે રૂપી ઉપરાંત અરૂપી પદાર્થ આકાશાદિ છે જે મન વડે માન્યા જાય છે. તે પણ આત્માના નથી; પણ તેથી પર છે, ઇત્યાદિ. આ જગતના પદાર્થ માટે વિચાર કરતાં તે તમામ નહીં પણ તેમાંથી આ જીવે પોતાના માન્યા છે તે પણ આ જીવના નથી; અથવા તેનાથી પર છે, ઇત્યાદિ, જેવાં કે- ૧ કુટુંબ અને સગાસંબંધી, મિત્ર, શત્રુ આદિ મનુષ્ય વર્ગ, ૨ નોકર, ચાકર, ગુલામ આદિ મનુષ્યવર્ગ. ૩ પશુ પક્ષી આદિ તિર્યંચ. ૪ નારી દૈવત્તા આદિ. ૫ પાંચે જાતના એકેંદ્રિય. ૬ ઘર, જમીન, ક્ષેત્રાદિ, ગામગરાસાદિ, તથા પર્વતાદિ. ૭ નદી, તલાવ, કૂવા, વાવ, સમુદ્રાદિ. ૮ હરેક પ્રકારનાં કારખાનાદિ. હવે કુટુંબ અને સગા સિવાય સ્ત્રી પુત્રાદિ જે અતિ નજદીકનાં અથવા જે પોતાનાથી ઉત્પન્ન થયેલાં છે તે પણ. એમ બધાંને બાદ કરતાં છેવટે પોતાનું શરીર જે કહેવામાં આવે છે તેને માટે વિચાર કરવામાં આવે છે. ૧ કાયા, વચન, અને મન એ ત્રણે યોગ ને તેની ક્રિયા. ૨ પાંચે ઇંદ્રિયો વગેરે. ૩ માથાના વાળથી પગના નખ સુધીના દરેક અવયવ જેમકેઃ- ૪ બધાં સ્થાનના વાળ, ચર્મ (ચામડી), ખોપરી, મગજ, માંસ, લોહી, નાડી, હાડ, માથું, કપાળ, કાન, આંખ, નાક, મુખ, જિહ્વા, દાંત, ગળું, હોઠ, હડપચી, ગરદન, છાતી, વાંસો, પેટ, કરોડ, બરડો, ગુદા, કુલા, લિંગ, સાથળ, ગોઠણ, હાથ, ખાવડા, પોંચા, કોણી, ઘૂંટી, ઢાંકણી, પાની, નખ ઇત્યાદિ અનેક અવયવો યાને વિભાગો. ઉપર બતાવેલાં મધ્યેનું એક પણ આ જીવનું નથી, છતાં પોતાનું માની બેઠો છે, તે સુધરવાને માટે અથવા તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે, તે સુધારવાથી બની શકવા
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy