SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org ૭૧૬ શ્રીમદ રાજચંદ્ર છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તો તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં સત્પુરુષનો જોગ મળવો દુર્લભ છે; તેમાં હાલમાં તો વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ જોવામાં આવતા નથી. ઘણા જીવોમાં કોઈક ખરો મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે; બાકી તો ત્રણ પ્રકારના જીવો જોવામાં આવે છે. જે બાહ્યદેષ્ટિવાળા છે- (૧) ‘ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજાં કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું,” એમ કહીં સદાચરણ, પુણ્યના હેતુ જાણી કરતા નથી; અને પાપનાં કારણો સેવતાં અટકતા નથી. આ પ્રકારના જીવોએ કાંઈ કરવું જ નહીં, અને મોટી મોટી વાતો કરવી એટલું જ છે. આ જીવોને 'અજ્ઞાનવાદી' તરીકે મૂકી શકાય, (૨) 'એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે, એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મુકતાં નથી. આવા જીવોને 'ક્રિયાવાદી' અથવા 'ક્રિયાજડ' ગણવા. ક્રિયાજને આત્માનો લક્ષ હોય નહીં. (૩) ‘અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં; આત્મા કર્તાય નથી; ને ભોક્તાય નથી; માટે કાંઈ નથી.' આવું બોલનારાઓ 'શુષ્કઅધ્યાત્મી', પોલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં. આવા ત્રણ પ્રકારના જીવો હાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જૈનમાં ચોરાસીથી સો ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો થઈ ગયા છે; છતાં તેઓ બધા કહે છે કે જૈનધર્મમાં અમે જ છીએ. જૈનધર્મ અમારો છે.’ “પડિક્કમામિ, નિંદામિ, ગરિામિ, અપ્પાણ વોસિરામિ', આદિ પાઠનો લૌકિકમાં હાલ એવો અર્થ થઈ ગયો જણાય છે કે 'આત્માને વોસરાવું છું”, એટલે જેનો અર્થ, આત્માને ઉપકાર કરવાનો છે તેને જ, આત્માને જ ભૂલી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જો એક વર ન હોય તો ન શોભે અને વર હોય તો શોભે; તેવી રીતે ક્રિયા વૈરાગ્યાદિ જો આત્માનું જ્ઞાન હોય તો શોભે; નહીં તો ન શોભે. જૈનમાં હાલમાં આત્માનો ભુલાવો થઈ ગયો છે. સૂત્રો, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારો જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધનો, જે જે મહેનતો, જે જે પુરુષાર્થ કહ્યાં છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન જો આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તો સફળ છે; નહીં તો નિષ્ફળ છે; જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિનો છેદ થાય નહીં. જીવને સત્પુરુષનો જોગ થાય, અને લક્ષ થાય, તો તે સહેજે યોગ્ય જીવ થાય; અને પછી સદ્ગુરુની આસ્થા હોય તો સમ્યકૃત્વ થાય આવે. (૧) શમ = કોધાદિ પાતળાં પાડવાં તે. (૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઇચ્છા નહીં તે. (૩) નિવૈદ = સંસારથી થાકી જવું તે - સંસારથી અટકી જવું તે. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણી પર સમભાવ રાખવો તે, નિર્વર બુદ્ધિ રાખવી તે. આ ગુણો સમકિતી જીવમાં સહેજે હોય. પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય, તો પછી આ ચાર ગુણો વેદાંતમાં વિચાર અર્થે ષસંપત્તિ બનાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy