SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૩ મું ૨૪૩ નથી અને વખત વીત્યો જાય છે. એ કારણથી તથા કંઈક વિશેષ ઉદયથી ત્યાગ પણ થતો નથી. જેથી બધી સ્થિતિ શંકારૂપ થઈ પડી છે. આ કરતાં તો અમારે ઝેર પીને મરવું તે ઉત્તમ છે, સર્વોત્તમ છે. દર્શનપરિષહ એમ જ વેદાય ? તે યોગ્ય છે, પણ અમને લોકોનો પરિચય "જ્ઞાની છીએ" એવી તેમની માન્યતા સાથે ન પડ્યો હોત તો ખોટું શું હતું ? તે બનનાર. અરે ! હૈ દુષ્ટાત્મા । પૂર્વે ત્યાં બરાબર સન્મતિ ન રાખી અને કર્મબંધ કર્યા તો હવે તું જ તેનાં ફળ ભોગવે છે. તું કાં તો ઝેર પી અને કાં તો ઉપાય તત્કાળ કર. યોગસાધના કરે ? તેમાં બહુ અંતરાય જોવામાં આવે છે. વર્તમાનમાં પરિશ્રમ કરતાં પણ તે ઉદયમાં આવતું નથી. ૧૬૨ હે શ્રી......... તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો તેનો અર્થ શો છે ? નિઃસંદેહ થઈને રહે, અને એ જ તમારો સ્વભાવ છે. હૈ અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાય છે, નિઃસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. હે શ્રી........! તમને જે કંઈ સંદે, વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્યમાગમથી ક્ષય કરો. હૈ અંતરાત્મા ! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્યમાગમ પ્રાપ્ત થયો હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્યમાગમ અથવા સત્યમાગમ પણ પ્રાપ્ત થવો મહા કઠણ છે. હે શ્રી......... તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દૃઢ અવલંબન ગ્રહણ કરો, અને પરમપુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સન્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચ્છે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્ત્યા કરે છે; જેથી અમને તેમના સમાગમમાં તો નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઈ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્યમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી. ܀܀܀܀܀ ૧૬૩ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy