SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર કિંવા ભ્રાન્તિ અને મૂઢતા રહ્યા કરે છે. કંઈ દૃષ્ટિ પહોંચતી નથી. ભ્રાન્તિ પડી ગઈ છે કે હવે મારામાં કંઈ વિશેષ ગુણ દેખાતા નથી. હું હવે બીજા મુમુક્ષુઓને પણ સાચા સ્નેહે પ્રિય નથી. ખરા ભાવથી મને ઇચ્છતા નથી. અથવા કંઈક ખેંચાતા ભાવથી અને મધ્યમ સ્નેહે પ્રિય ગણે છે. વધારે પરિચય ન કરવો જોઈએ, તે મેં કર્યો, તેનો પણ ખેદ થાય છે. બધાં દર્શનમાં શંકા થાય છે. આસ્થા આવતી નથી. જો એમ છે તોપણ ચિંતા નથી. આત્માની આસ્થા છે કે તે પણ નથી ? તે આસ્થા છે. તેનું અસ્તિત્વ છે. નિત્યત્વ છે, અને ચૈતન્યવંત છે. અજ્ઞાને કર્તાભોક્તાપણું છે. જ્ઞાને કર્તાભોક્તાપણું પરયોગનું નથી. જ્ઞાનાદિ તેનો ઉપાય છે. એટલી આસ્થા છે. પણ તે આસ્થા પર હાલ વિચાર શૂન્યતાવતું વર્તે છે. તેનો મોટો ખેદ છે. આ જે તમને આસ્થા છે તે જ સમ્યગ્દર્શન છે. શા માટે મૂંઝાઓ છો ? વિકલ્પમાં પડો છો ? તે આત્માના વ્યાપકપણા માટે, મુક્તિસ્થાન માટે, જિનકથિત કેવળજ્ઞાન તથા વેદાંતકથિત કેવળજ્ઞાન માટે, તથા શુભાશુભ ગતિ ભોગવવાનાં લોકનાં સ્થાન તથા તેવાં સ્થાનના સ્વભાવે શાશ્વત હોવાપણા માટે, તથા તેના માપને માટે વારંવાર શંકા ને શંકા જ થયા કરે છે, અને તેથી આત્મા ઠરતો નથી. જિનોક્ત તે માનોને ! ઠામઠામ શંકા પડે છે. ત્રણ ગાઉના માણસ ચક્રવર્તી આદિનાં સ્વરૂપ વગેરે ખોટાં લાગે છે. પૃવ્યાદિનાં સ્વરૂપ અસંભવિત લાગે છે. તેનો વિચાર છોડી દેવો. છોડ્યો છૂટતો નથી. શા માટે ? જો તેનું સ્વરૂપ તેના કહ્યા પ્રમાણે ન હોય તો તેમને કેવળજ્ઞાન જેવું કહ્યું છે તેવું ન હતું, એમ સિદ્ધ થાય છે. તો તેમ માનવું ? તો પછી લોકનું સ્વરૂપ કોણ યથાર્થ જાણે છે એમ માનવું ? કોઈ જાણતા નથી એમ માનવું ? અને એમ જાણતાં તો બધાએ અનુમાન કરીને જ કહ્યું છે એમ માનવું પડે. તો પછી બંધમોક્ષાદિ ભાવની પ્રીતિ શી ? યોગે કરી તેવું દર્શન થતું હોય, ત્યારે શા માટે ફેર પડે ? સમાધિમાં નાની વસ્તુ મોટી દેખાય અને તેથી માપમાં વિરોધ આવે. સમાધિમાં ગમે તેમ દેખાતું હોય પણ મૂળ રૂપ આવડું છે અને સમાધિમાં આ પ્રમાણે દેખાય છે. એમ કહેવામાં હાનિ શી હતી ? તે કહેવામાં આવ્યું હોય, પણ વર્તમાન શાસ્ત્રમાં તે નથી રહ્યું એમ ગણતાં હાનિ શી ? હાનિ કંઈ નહીં. પણ એમ સ્થિરતા યથાર્થ આવતી નથી. બીજા પણ ઘણા ભાવોમાં ઠામ ઠામ વિરોધ દેખાય છે. તમે પોતે ભૂલતા હો તો ? તે પણ ખરું, પણ અમે સાચું સમજવાના કામી છીએ. કંઈ લાજશરમ, માન, પૂજાદિના કામી નથી; છતાં સાચું કેમ ન સમજાય ? સદ્ગુરુની દૃષ્ટિએ સમજાય. પોતાથી યથાર્થ ન સમજાય. સદ્ગુરુનો યોગ તો બાઝતો નથી. અને અમને સદ્ગુરુ તરીકે ગણવાનું થાય છે. તે કેમ કરવું ? અમે જે વિષયમાં શંકામાં છીએ તે વિષયમાં બીજાને શું સમજાવવું ? કંઈ સમજાવ્યું જતું
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy