SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ગ્રહણ કરવા માટે તીર્થંકર ભગવંતનો ઉપદેશ સાંભળવાની રુચિ ઊપજે તેને ઉપદેશરુચિ કહીએ. એ ધર્મધ્યાનનાં ચાર લક્ષણ કહેવાયાં. ધર્મધ્યાનનાં ચાર આલંબન કહું છું. ૧. વાંચના, ૨. પૃચ્છના, ૩. પરાવર્તના, ૪. ધર્મકથા. ૧. વાંચના- એટલે વિનય સહિત નિર્જરા તથા જ્ઞાન પામવાને માટે સૂત્રસિદ્ધાંતના મર્મના જાણનાર ગુરૂ કે સત્પુરુષ સમીપે સૂત્ર તત્ત્વનું વાંચન લઈએ તેનું નામ વાંચનાલંબન. ૨. પૃચ્છના- અપૂર્વ જ્ઞાન પામવા માટે, જિનેશ્વર ભગવંતનો માર્ગ દીપાવવાને તથા શંકાશલ્ય નિવારણને માટે તેમ જ અન્યના તત્ત્વની મધ્યસ્થ પરીક્ષાને માટે યથાયોગ્ય વિનય સહિત ગુર્વાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૃચ્છના કહીએ. 3. પરાવર્તના- પૂર્વે જિનભાષિત સૂત્રાર્થ જે ભણ્યા હોઈએ તે સ્મરણમાં રહેવા માટે, નિર્જરાને અર્થે શુદ્ઘ ઉપયોગ સહિત શુદ્ધ સૂત્રાર્થની વારંવાર સજ્ઝાય કરીએ તેનું નામ પરાવર્તનાલંબન. ૪. ધર્મકથા- વીતરાગ ભગવાને જે ભાવ જેવા પ્રણીત કર્યા છે તે ભાવ તેવા લઈને, ગ્રહીને, વિશેષે કરીને નિશ્ચય કરીને, શંકા, કંખા અને વિત્તિગિચ્છારહિતપણે, પોતાની નિર્જરાને અર્ચે સભામર્થ્ય તે ભાવ તેવા પ્રણીત કરીએ તેને ધર્મકથાલંબન કહીએ. જેથી સાંભળનાર, સદ્દહનાર બન્ને ભગવંતની આજ્ઞાના આરાધક થાય. એ ધર્મધ્યાનનાં ચાર આલંબન કહેવાયાં. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા કહું છું. ૧. એકત્વાનુપ્રેક્ષા, ૨. અનિત્યાનુપ્રેક્ષા, ૩. અશરણાનુપ્રેક્ષા, ૪. સંસારાનુપ્રેક્ષા. એ ચારેનો બોધ બાર ભાવનાના પાઠમાં કહેવાઈ ગયો છે તે તમને સ્મરણમાં હશે. ܀܀܀܀܀ શિક્ષાપાઠ ૭૬. ધર્મધ્યાન-ભાગ ૩ ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિસ્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યકતા છે કે એમાંથી આપણે કર્યો ભેદ પામ્યા; અથવા કયા ભેદ ભણી ભાવના રાખી છે ? એ સોળ ભેદમાંનો ગમે તે ભેદ હિતવી અને ઉપયોગી છે; પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સુત્રસિદ્ધાંતનાં અધ્યયનો કેટલાક મુખપાઠે કરે છે; તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્ત્વો ભણી જો તેઓ લક્ષ પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે, એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વીતરાગપ્રણીત તત્ત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોતરથી, વિચારથી અને સત્પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે; પણ જેવા આ ધર્મધ્યાનના પ્રચક પૃથક્ સોળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે, એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુ:ખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. કે મેરે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે.
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy