SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ http://www.ShrimadRajchandra.org વર્ષ ૧૩ મું ૫૫ દૃષ્ટાંતઃ- (૨) શ્રી વજ્રસ્વામી કેવળ કંચનકામિનીના દ્રવ્યભાવથી પરિત્યાગી હતા. એક શ્રીમંતની રુકૃમિણી નામની મનોહારિણી પુત્રી વજ્રસ્વામીના ઉત્તમ ઉપદેશને શ્રવણ કરીને મોહિત થઈ. ઘેર આવી માતાપિતાને કહ્યું કે, જો હું આ દેહે પતિ કરું તો માત્ર વજ્રસ્વામીને જ કરું, અન્યની સાથે સંલગ્ન થવાની મારે પ્રતિજ્ઞા છે. રુકૃમિણીને તેનાં માતાપિતાએ ઘણુંયે કહ્યું, “ઘેલી ! વિચાર તો ખરી કે, મુનિરાજ તે વળી પરણે ? એણે તો આસવદ્વારની સત્ય પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે." તોપણ રુકમિણીએ કહ્યું ન માન્યું. નિરુપાયે ધનાવા શેઠે કેટલુંક દ્રવ્ય અને સુરૂપા રુમિણીને સાથે લીધી; અને જ્યાં વજ્રસ્વામી વિરાજતા હતા ત્યાં આવીને કહ્યું કે, “આ લક્ષ્મી છે તેનો તમે યથારુચિ ઉપયોગ કરો; અને વૈભવવિલાસમાં વાપરો; અને આ મારી મહા સુકોમલા રુકમિણી નામની પુત્રીથી પાણિગ્રહણ કરો.” એમ કહીને તે પોતાને ઘેર આવ્યો. યૌવનસાગરમાં તરતી અને રૂપના અંબારરૂપ રુકૃમિણીએ વજ્રસ્વામીને અનેક પ્રકારે ભોગ સંબંધી ઉપદેશ કર્યો; ભોગનાં સુખ અનેક પ્રકારે વર્ણવી દેખાડયાં; મનમોહક હાવભાવ તથા અનેક પ્રકારના અન્ય ચળાવવાના ઉપાય કર્યા; પરંતુ તે કેવળ વૃથા ગયા; મહા સુંદરી રુકમિણી પોતાના મોકયક્ષમાં નિષ્ફળ થઈ. ઉગ્રચરિત્ર વિજયમાન વજસ્વામી મેરુની પેઠે અચળ અને અડોલ રહ્યા. રુકમિણીના મન, વચન અને તનના સર્વ ઉપદેશ અને હાવભાવથી તે લેશમાત્ર પીગળ્યા નહીં. આવી મહા વિશાળ દેઢતાથી રુમિણીએ બોધ પામી નિશ્ચય કર્યો કે, આ સમર્થ જિતેન્દ્રિય મહાત્મા કોઈ કાળે ચલિત થનાર નથી. લોહ પથ્થર પિગળાવવા સુલભ છે, પણ આ મહા પવિત્ર સાધુ વજ્રસ્વામીને પિગળાવવા સંબંધીની આશા નિરર્થક છતાં અધોગતિના કારણરૂપ છે. એમ સુવિચારી તે રુકમિણીએ પિતાએ આપેલી લક્ષ્મીને શુભ ક્ષેત્રે વાપરીને ચારિત્ર ગ્રહણ કર્યું; મન, વચન અને કાયાને અનેક પ્રકારે દમન કરી આત્માર્થ સાધ્યો. એને તત્ત્વજ્ઞાનીઓ સંવરભાવના કહે છે. ઇતિ અષ્ટમ ચિત્રે સંવરભાવના સમાપ્ત. નવમ ચિત્ર નિર્જરાભાવના દ્વાદશ પ્રકારનાં તપ વડે કરી કર્મઓઘને બાળીને ભસ્મીભૂત કરી નાંખીએ, તેનું નામ નિર્જરા ભાવના કહેવાય છે. તપના બાર પ્રકારમાં છ બાહ્ય અને છ અન્વંતર પ્રકાર છે, અનશન, ઊોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ બાહ્ય તપ છે. પ્રાયચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન અને કાયોત્સર્ગ, એ છ અત્યંતર તપ છે. નિર્જરા બે પ્રકારે છે. એક અકામ નિર્જરા અને દ્વિતીય સકામ નિર્જરા. નિર્જરાભાવના પર એક વિપ્રપુત્રનું દૃષ્ટાંત કહીશું. દૃષ્ટાંતઃ- કોઈ બ્રાહ્મણે પોતાના પુત્રને સપ્તવ્યસનભક્ત જાણીને પોતાને ઘેરથી કાઢી મૂક્યો. તે ત્યાંથી નીકળી પડ્યો અને જઈને તેણે તસ્કરમંડળીથી સ્નેહસંબંધ જોડ્યો. તે મંડળીના અગ્રેસરે તેને સ્વકામનો પરાક્રમી જાણીને પુત્ર કરીને સ્થાપ્યો. એ વિષ્ણુપુત્ર દુષ્ટદમન કરવામાં દૃઢપ્રહારી જણાયો. એ ઉપરથી એનું ઉપમાન દેહપ્રહારી કરીને સ્થાપ્યું. તે દૃઢપ્રહારી તક્કરમાં અગ્રેસર થયો. નગર ગ્રામ ભાંગવામાં બલવત્તર છાતીવાળો કર્યો. તેણે ઘણાં પ્રાણીઓના પ્રાણ લીધા. એક વેળા પોતાના સંગતિસમુદાયને લઈને તેણે એક મહાનગર લૂંટયું. દેટપ્રહારી એક વિપ્રને ઘેર બેઠો હતો. તે વિપ્રને ત્યાં ઘણા પ્રેમભાવથી ક્ષીરભોજન કર્યું હતું, તે ક્ષીરભોજનના ભાજનને તે વિપુનાં મનોરથી બાળકડાં વીંટાઈ વળ્યાં હતાં. દેપારી તે ભાજનને અડકવા મંડ્યો, એટલે
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy