SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તો મોક્ષે ગયા પરંતુ અન્ય બે પાંડવોને અલ્પ વિકલ્પ : એવો તેને ભાવ છે. અર્થાત્ સવિકલ્પ દશા સમયે આવતા તેના બે ભવ વધી ગયા. આ બધું ખ્યાલમાં લેતા નક્કી થાય છે કે સ્વાનુભૂતિપૂર્વક મુનિપણું ઈષ્ટ છે પરંતુ વિકલ્પ ચાલ્યા જ કરે તો નકામું છે. મુનિદશા માટે પણ અનંત પુરુષાર્થ જરૂરી છે પરંતુ મુનિદશા આવ્યા બાદ પણ અનંત પુરુષાર્થ ઉપાડીને પણ વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશા માટેનો ઉગ્ર : પુરુષાર્થ ચાલે છે તેથી તો મુનિરાજને ઝડપથી : સવિકલ્પ-નિર્વિકલ્પ દશા બદલાયા કરે છે. આચાર્યદેવ શીરને બાહ્ય સહકારી કારણરૂપે શ્રેણી માંડવી જરૂરી છે. શ્રેણી ન માંડે ત્યાં સુધી દર્શાવે છે. જીવ ભિન્ન છે. શરીર ભિન્ન છે. બન્નેના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. સ્વતંત્ર કાર્યો ચાલે છે. એવું જુદાપણું લક્ષમાં રાખીને શરીરને સહકા૨ી કારણ ગણવાનું છે. ખરેખર તો વિશ્વના સમસ્ત પદાર્થો જીવને સહકારી કારણ (નિમિત્ત) છે. જીવ સંસારમાં પરિભ્રમણ ઈચ્છે છે ત્યારે પણ છ દ્રવ્યો સહકા૨ી છે અને મોક્ષમાર્ગ અને સિદ્ધ દશામાં પણ સહકારી છે. અર્થાત્ જીવ સ્વતંત્રપણે જે કોઈ પરિણામરૂપે પરિણમે છે તેની સાથે પ્રકૃતિનો મેળવિશેષ : જોવા મળે છે. જીવ અજ્ઞાની છે ત્યારે દ્રવ્યકર્મ બંધાય છે અને નિમિત્તરૂપે કર્મોદય પણ જોવા મળે છે. એ જીવ જ્યારે જ્ઞાની થાય છે ત્યારે દ્રવ્યકર્મોનો ઉપશમ ક્ષયોપશમ અને ક્ષય થવા લાગે છે. શરીર અને તેને પ્રાપ્ત ઈન્દ્રિયો દ્વારા ગા ૪૦ જે પંચસમિત, ત્રિગુપ્ત, ઈંદ્વિનિરોધી, વિજયી કષાયનો, પરિપૂર્ણ દર્શનશાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦. · પાંચ સમિતિયુક્ત, પાંચ ઈન્દ્રિયના સંવરવાળો, ત્રણ ગુપ્તિ સહિત, જિતકષાય અને દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ એવો જે શ્રમણ તેને સંયત કહ્યો છે. : : : આ ગાથામાં આગમજ્ઞાન, તત્ત્વાર્થ શ્રદ્ધાન, સંયમ અને આત્મજ્ઞાન એ બધાનું યુગપદપણું દર્શાવવા માગે છે. તે આ પ્રમાણે છે. પ્રથમ આગમ જ્ઞાનની વાત લીધી છે. આગમતે અનેકાંત સ્વરૂપ છે. આગમના અભ્યાસ વડે એ પોતાના આત્માનું શ્રદ્ધાન કરે છે. આત્મા જ્ઞાન સ્વભાવી છે. જ્ઞાન જ્યારે પરશેયને જાણે છે ત્યારે જ્ઞાનની પર્યાય જ્ઞેયાકાર જણાય છે. જીવ પોતે માત્ર જ્ઞાનરૂપે જ પરિણમે છે. શેયાકાર જ્ઞાનની પર્યાયમાંથી શેયાકા૨પણું દૂર ન થઈ શકે એમ હોવા છતાં વિવેકી જ્ઞાન સ્વ અને શેયાકારને લક્ષણ ભેદ વડે જાણી લે છે. પોતાની પર્યાયમાં શેયાકા૨પણું સંબંધના કારણે આવે છે એવું જાણીને તે પોતાના આત્માને ૫૨થી ભિન્ન અનુભવમાં લે છે. · : અજ્ઞાની સંસાર વધારે છે. તેના સ્થાને જ્ઞાની એ જ શરીરની પ્રવૃત્તિ જાદી રીતે કરે છે. પાંચ સમિતિના પાલનરૂપ અંકુશ વડે તેને શ૨ી૨ની ક્રિયાઓ થાય છે. શરી૨ અને ઈન્દ્રિયોની બધી પ્રવૃતિઓમાં બાહ્યમાં અન્ય જીવોની હિંસા ન થાય એ પ્રકારની સાવધાની જોવા મળે છે. આ રીતે બધું કાર્ય સંયમના લક્ષે થાય છે. તદ્ઉપરાંત બાહ્ય વિષયોના ભોગ-ઉપભોગની નિરર્થકતા લક્ષમાં હોવાથી તેને ઈન્દ્રિયો મારફત બાહ્ય વિષયના ગ્રહણની પ્રવૃતિ અટકી ગઈ છે અર્થાત્ તેને ઈન્દ્રિય નિરોધ આ રીતે જ્ઞાન શ્રદ્ધાનના જો૨માં અર્થાત્ : વસ્તુના યથાર્થ સ્વરૂપના ખ્યાલને કારણે તે પોતાનાં વર્તે છે. સંયમના પાલનના બે મુખ્ય પાસા ઈન્દ્રિય સ્વભાવમાં જ સ્થિત રહેવા માટે નિરંતર પુરુષાર્થ · નિરોધ અને છકાય જીવની રક્ષા એવું પાલન મુનિને કરે છે. સ્વાનુભવની પર્યાય કાયમ માટે ટકી રહે પ્રવચનસાર - પીયૂષ સહજપણે હોય છે. ૮૯
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy