SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ઉપવાસાદિ નથી કરતા. આત્મસાધના માટે : છે તે જ મુનિ અનાહારી છે એવું આ ગાથામાં શરીર જરૂરી છે. માટે તેને ટકાવવા માટે આહાર લે : સમજાવવા માગે છે. મુનિ નિર્વિકલ્પ દશામાં છે છે એમ પણ નથી. આપણને આવા અનેક પ્રકારના ત્યારે અનાહારી છે એમ નહીં પરંતુ તેઓ જે સમયે ભાવો આવે અને પ્રશ્ન પણ થાય કારણકે આપણને · આહારની ઈચ્છા કરીને આહાર લઈ રહ્યા છે તે : મુનિદશાનો સાચો ખ્યાલ નથી. મુનિને સંયમની : મુખ્યતા છે, શરીર ને ટકાવવાની તેને તોડવાની કોઈ અધિકતા તેને નથી. મુનિને યોગ્ય આ બધા ભાવો હોય છે. તેમાંથી ક્યારે કેવા પ્રકારનો ભાવ હોય તેની કોઈ ગણતરી નથી હોતી. મુનિના ભાવો : ... : સમયે અનાહારી છે એવું સમજાવવા માગે છે. તે આ પ્રમાણે. આત્મા અરૂપી છે. અરૂપી આત્મા પોતાની જીવત્વ શક્તિથી જીવે છે. આત્મા દસ પ્રાણથી જીવે છે એવું વ્યવહારનયનું કથન છે ખરું, પરંતુ દસ પ્રાણ તો દેહના છે તે કાંઈ જીવનું જીવત૨ નથી. મનુષ્ય અને તિર્યંચના દેહ આહારથી નભે છે. તેથી મનુષ્ય શરીરને આહાર, વસ્ત્ર, મકાન વગેરે બધાની જરૂર રહે છે. અરૂપી આત્માને આની કાંઈ જરૂર નથી. અજ્ઞાની જીવને પણ અન્ય પદાર્થો મળતા નથી. તે પણ બાહ્ય વિષયને ભોગવી શકતો નથી. તેની માન્યતા ગમે તેવી હોય પરંતુ તે પોતાની રાગમિશ્રિત શેયાકાર જ્ઞાનની પર્યાયને જ ભોગવે છે. સહજ હોય છે. પોતાના સ્વભાવમાં ટકી ન શકે અને દેહ ત૨ફ લક્ષ જાય ત્યારે તે સમયે જેવા વિકલ્પ આવે છે તે પ્રમાણે આચરણ કરે છે. આ રીતે વિચારવું આપણા માટે પણ યોગ્ય છે. મુનિને : શરીરની પરાધીનતા નથી તેમ તેની સામે પૂર્વગ્રહપૂર્વકનો વિરોધ પણ નથી. ઉપવાસ, અઠાઈ, માસખમણ વગેરે ઉગ્ર આરાધના કહેવાય અને તેનાથી આકરા દ્રવ્યકર્મો ખપે એવો કોઈ નિયમ નથી. પોતાના સંયમના પાલનને અગ્ર રાખે છે અને જે વિકલ્પ સહજપણે આવે છે તે પ્રમાણે વર્તે છે. : ં ગાથા - હ આત્મા અનેષક તે ય તપ, તત્સિદ્ધિમાં ઉદ્યત રહી વણ-એષણા ભિક્ષા વળી, તેથી અનાહારી મુનિ. ૨૨૭. જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશન સ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે (અનશન સ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય (સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (એષણાદોષ રહિત) હોય છે, તેથી તે શ્રમણો અનાહારી છે. જે મુનિને ૨૨૬ ગાથામાં યુક્તાહારી કહ્યા પ્રવચનસાર - પીયૂષ આત્માને ટકવા માટે આહા૨ની જરૂર નથી માટે બધા આત્માઓ અન્-આહા૨ક જ છે. જ્ઞાની પોતાના આત્માને આ પ્રકારે જાણે છે. તેણે દેહાધ્યાસ છોડયો છે. અજ્ઞાન દશામાં તેને શરીરમાં હુંપણું હતું તેથી તે આહારાદિ ગ્રહણ કરતો હતો. જ્ઞાની પોતાને જ્ઞાયકરૂપે અનાહારકરૂપે સ્વીકારે છે માટે તેને પોતાની વિદ્યમાનતા માટે આહારની કોઈ આવશ્યકતા નથી. જે શરીરથી તેણે ભેદજ્ઞાન કર્યું છે. તે શ૨ી૨થી તે જ્ઞાન અને શ્રદ્ધાન અપેક્ષાએ તો તદ્દન જુદો પડી ગયો છે. ચારિત્ર અપેક્ષાએ વિચારીએ તો તે ક્રમશઃ શરીરથી અળગો થતો જાય છે. શરીર સાથેના તેના સંબંધો બદલાતા જાય છે. રાગના સ્થાને જે પ્રકારે વૈરાગ્ય વધતો જાય છે તે પ્રકારે તેની દેહની ક્રિયાઓમાં ફેરફાર જોવા મળે છે. મુનિદશામાં તે માત્ર સંયમના હેતુએ આહાર ગ્રહણ કરે છે. તેથી અહીં કહ્યું છે કે જેણે પોતાને અર્થાત્ પોતાના આત્માને, અનાહારક જાણ્યો તે ૫૩
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy