SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ અને શરી૨ ભિન્ન જ છે અને સમ્યગ્દષ્ટિ ‘‘શુદ્ધાત્મ પરિણતિ મિલિત’' હોય છે. અર્થાત્ મુનિને શુભોપયોગ સાથે ભૂમિકાને (પંચમગુણસ્થાન)ને : જીવે શરીરથી ભેદજ્ઞાન કરી લીધું છે પરંતુ જ્યાં યોગ્ય શુદ્ધોપયોગ પણ હોય છે. આ પ્રકારેના · સુધી શરીર સંયોગરૂપે છે ત્યાં સુધી થોડી દેહલક્ષી લખાણથી ફરીને એ વાત દૃઢ થાય છે કે અજ્ઞાની : ક્રિયાઓ પણ ચાલે છે. રોગી-નિરોગી શરીરને જીવ દ્રવ્યલિંગનું પાલન કરે તોપણ તેને શુભોપયોગી : આત્મસાધના સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ શ્રમણ કહેવામાં આવતા નથી. છે. માટે અન્ય મુનિના શ્રમનું નિવારણ તેને લાભનું કારણ જાણીને શુભોપયોગ શ્રમણને વૈયાવૃતની ભાવના રહે છે. ગાથા = ૨૪૭ શ્રમણો પ્રતિ વંદન, નમન, અનુગમન, અભ્યુત્થાન ને વળી શ્રમનિવારણ છે ન નિંદિત રાગયુત ચર્ચા વિષે. ૨૪૭. શ્રમણો પ્રત્યે વંદન નમસ્કાર સહિત અભ્યુત્થાન અને અનુગમનરૂપ વિનીત વર્તન કરવું તથા તેમનો શ્રમ દૂર કરવો તે રાગ ચર્ચામાં નિંદિત નથી. ગા - re ઉપદેશ દર્શનજ્ઞાનનો, પોષણ-ગ્રહણ શિષ્યો તણું, ઉપદેશ જિનપૂજા તણો –વર્તન તું જાણ સરાગનું. ૨૪૮. : દર્શનજ્ઞાનનો (સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો) ઉપદેશ, શિષ્યોનું ગ્રહણ તથા તેમનું પોષણ, અને જિનેન્દ્રની પૂજાનો ઉપદેશ ખરેખર સરાગીઓની ચર્ચા છે. આ ગાથામાં પણ શુભોપયોગી શ્રમણના શુભભાવનું વર્ણન છે. અન્ય પાત્ર જીવોને લક્ષમાં રાખીને તેને તત્ત્વનો અને જિનેન્દ્રપૂજા કરવાનો : ... · આ બધી ગાથાઓમાં મુનિદશાને યોગ્ય અનેક પ્રકા૨ના શુભભાવોનું વર્ણન છે. આવા ભાવો ભાવલિંગી સંતને પણ હોય છે. અહીં એવો ભાવ લેવો છે કે શુભોપયોગી શ્રમણને એની અધિકતા: હોય છે. એ જાણે છે કે પોતે ભાવલિંગ ધારણ કર્યું નથી. તેથી અન્ય શ્રમણો એના કરતા ગુણે અધિક છે. આમ હોવાથી તેને અન્ય મુનિઓનું બહુમાન અવશ્ય હોય છે. આ પ્રમાણે હોવાથી તે અન્ય શ્રમણોને વંદન-નમસ્કાર કરે છે. તેઓ આવે ત્યારે પોતે માનાર્થે ઉભા થઈ જાય છે. મુનિ ચાલતા હોય ત્યારે પોતે તેનાથી થોડું અંતર રાખીને પાછળ ચાલે છે. આવી અનેક પ્રકારની વિનયમય ક્રિયા તે કરે છે. અન્ય મુનિ થાક્યા હોય તો તેની સેવા ચાકરી : ક૨ે છે. આવી વૈયાવૃતને ટીકામાં ‘“શુદ્ધાત્મ· પરિણતિના રક્ષણને નિમિત્તભૂત'' ગણવામાં આવી છે. અર્થાત્ એ માત્ર બાહ્ય ક્રિયા ન રહી. તેનો હેતુ શરીરને સ્ફૂર્તિવંત બનાવવાનું જ રહ્યું પરંતુ શરીર સ્વસ્થ થતાં તે મુનિ આત્મ સાધના સારી રીતે કરી શકે એ વાત મુખ્ય બની ગઈ. પ્રવચનસાર - પીયૂષ ઉપદેશ આપવાનો ભાવ સવિશેષપણે રહે છે. : શિષ્યનું ગ્રહણ અને પોષણની પ્રવૃતિ એવો શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ આવા મુનિ પોતાના શિષ્યો બનાવે એવું માનવાનું મન થતું નથી. તેથી તેના પોષણની વાત પણ રહે નહીં. તેથી જુદી રીતે વિચારવાનું મન થાય છે. અહીં મુનિ તરીકે શિષ્ય ન લેતા પાત્ર જીવો એમ લેવું. અર્થાત્ આવા મુનિ જે પાત્ર જીવોના પરિચયમાં આવે તેને મૂળ માર્ગમાં રસ લેતા ક૨વા અને તેમની ધર્મ : : : ભાવના ટકી રહે અને અભ્યાસમાં અને આચરણમાં આગળ વધે એ રીતે તેમને પ્રોત્સાહન આપે તેને શિષ્યનું ગ્રહણ અને પોષણ ગણવું યોગ્ય છે. તેથી તેમાં દર્શનજ્ઞાનના ઉપદેશની અને જિનેન્દ્રપૂજાની વાત સ્હેજે આવી જાય છે. ... ૧૦૧
SR No.008330
Book TitlePravachansara Piyush Part 3
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy