SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસરીને વિભાવભાવમાં પણ સંક૨દોષ કહેવામાં આવે છે. અજ્ઞાન દૂર થાય ત્યારે શેય જ્ઞાયક સંકર દોષના સ્થાને નિર્દોષ જ્ઞેય જ્ઞાયક સંબંધ જોવા મળે છે. અજ્ઞાન દૂર થતાં ભાવ્યભાવક સંકર દોષનો અભાવ થાય છે. ભાવ્યભાવક સંબંધ એવું કાંઈ છે નહીં. તેથી સંકર દોષનો અભાવ થતાં બે પદાર્થો જુદા હતા અને જુદા રહી જાય છે. બે પદાર્થને એક માનવારૂપ મિથ્યાત્વ હોય ત્યાં જ ભાવ્યભાવક સંકર દોષ જોવા મળે છે. જ્ઞાનનો ગા. ૧૨૩ થી ૧૨૬ સુધીમાં આચાર્યદેવ સ્વપર પ્રકાશક-સર્વજ્ઞ સ્વભાવ હોવાથી ભેદજ્ઞાન જીવ અને તેના પરિણામો સ્વતંત્રપણે પરદ્રવ્યથી ક૨ીને પ૨થી જાદું પડેલું જ્ઞાન પરથી ભિન્ન : નિરપેક્ષપણે થાય છે એવું દર્શાવવા માગે છે. તેમાં રહીને પ૨ને જાણે એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ : અહીં આ ગાથામાં પ્રથમ જીવને ચેતન સ્વભાવી નિર્દોષરૂપે લક્ષમાં આવે છે. જીવને પરદ્રવ્ય સાથે • દર્શાવે છે. ચૈતન્ય ગુણના પરિણામોને જીવના આ પ્રકા૨ના શેય જ્ઞાયક સંબંધ સિવાય અન્ય પરિણામરૂપે દર્શાવે છે. ચેતવું એટલે જાગૃત રહેવું. પ્રકા૨નો સંબંધ જ્ઞાનીની ભૂમિકામાં હોતો નથી. પોતાની હિતબુદ્ધિ જ્યાં હોય ત્યાં જીવની ચેતન તેથી આ ગાથાને પર્યાયપણે લક્ષમાં લેનારા એ જાગૃતિ રહે છે. તે પરિણામ નીચે પ્રમાણે છે. ... જ્ઞાન ચેતના અજ્ઞાન ચેતના નિર્ણય કરે છે કે મારે જે દ્રવ્યકર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે તે દોષિત છે. તે મને સંસા અને તેના ફળમાં દુ:ખ દેના૨ છે માટે તે છોડવા લાયક છે. અઘાતિ કર્મોદય અનુસાર પ્રાપ્ત થતું શરીર અને સંયોગો પણ દ્રવ્યકર્મની માફક, મારાથી અત્યંત ભિન્ન છે તેથી તેની સાથેનું એકત્વબુદ્ધિરૂપનું મિથ્યાત્વ દૂ૨ ક૨વું જરૂરી છે. ઘાતિકર્મોઉદયમાં આવીને ભાવકરૂપે મારા મોહ-રાગ-દ્વેષના પરિણામમાં નિમિત્ત થતાં હતા. અઘાતિ કર્મો ઉદયમાં આવીને મને વિભાવ માટે અનુકૂળ સંયોગો પ્રાપ્ત કરાવતા હતા - આ રીતે બન્ને પ્રકારના કર્મો મારો સંસા૨ વધા૨વામાં અનુરૂપ થતાં હતા. મારે હવે સંસારમાં રહેવું નથી તેથી મારે તે કર્મો સાથે કાંઈ પ્રયોજન નથી. એ રીતે જ્ઞાની કર્મોને પોતાનાથી ભિન્ન લક્ષમાં લઈને તેની સાથેનો સંબંધ કાપી નાખે છે. કર્મનો ઉદય માત્ર કર્મમાં જ છે એવું લક્ષ કરીને જીવ પોતાના સ્વભાવમાં ટકે છે. ભાવક એવા કર્મોદયનો તિ૨સ્કા૨ કરીને શુદ્ધતા પ્રગટ કરે છે. પ્રવચનસાર - પીયૂષ ગાથા = ૧૨૩ જીવ ચેતનારૂપ પરિણમે; વળી ચેતના ત્રિવિધા ગણી; તે જ્ઞાનવિષયક, કર્મવિષયક, કર્મફળવિષયક કહી. ૧૨૩. આત્મા ચેતનારૂપે પરિણમે છે. વળી ચેતના ત્રણ પ્રકારે માનવામાં આવી છે; અને તેને જ્ઞાનસંબંધી, કર્મસંબંધી અથવા કર્મના ફળસંબંધી એમ કહેવામાં આવી છે. કર્મ ચેતના કર્મફળ ચેતના અજ્ઞાની જીવની ચેતન જાગૃતિ ૫દ્રવ્યો તરફ છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો ભોગવતા પોતાને સુખ થાય છે એવી માન્યતા છે તેથી તેની ચેતન જાગૃતિને અજ્ઞાન ચેતના કહેવામાં આવે છે. અહીં જ્ઞાન એટલે અભેદપણે જીવ અને અજ્ઞાન એટલે ૫દ્રવ્ય. આ રીતે અજ્ઞાની જીવની હિતબુદ્ધિ બાહ્ય વિષયોમાં હોવાથી તેને અજ્ઞાન ચેતના છે. તેના બે પ્રકા૨ છે. કર્મ ચેતના અને કર્મફળ ચેતના. અજ્ઞાનીની માન્યતા એ છે કે પોતે પદ્રવ્યના કામ કરી શકે છે અને પ૨ને ભોગવી શકે છે. ૫દ્રવ્યો સંયોગો એ કર્મના ફળ છે તેથી વિષયોનો ભોગવટો એ કર્મના ફળનો ભોગવટો છે. તેના પ્રત્યે ચેતન જાગૃતિ તે કર્મફળ ચેતના છે. ખ્યાલમાં રહે કે સંયોગો એ કર્મફળ છે. તેને ભોગવવાનો ભાવ એ જીવની ચારિત્ર ગુણની : ૧૦૭
SR No.008329
Book TitlePravachansara Piyush Part 2
Original Sutra AuthorKundkundacharya, Amrutchandracharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherGrand Rapid America Mumukshu Mandal America
Publication Year2006
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy