SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૬૧ ------ લેવું. જ્યારે કમળમાં ખીલવાની લાયકાત હોય ત્યારે સૂર્યમાં પણ પોતાના જ કારણે ઊગવાની લાયકાત હોય જ એવો સ્વભાવ છે. કમળમાં ખીલવાની લાયકાત હોય અને સૂર્યમાં ઊગવાની લાયકાત ન હોય એમ કદી બને જ નહિ છતાં સૂર્યના નિમિત્તથી કમળ ખીલતું નથી અને કમળ ખીલવાનું છે માટે સૂર્ય ઊગે છે એમ નથી. ૪૧. જ્યારે સૂર્ય ઊગે છે ત્યારે જ કમળ ખીલે છે તેનું શું કારણ? પ્રશ્ન:- જો સૂર્યના નિમિત્તથી કમળ ન ખીલતું હોય તો “જો સૂર્ય છે વાગે ઊગે તો કમળ પણ છ વાગે ખીલે, ને સૂર્ય સાત વાગે ઊગે તો કમળ પણ સાત વાગે ખીલે” એમ થવાનું શું કારણ? ઉત્તર:- તે વખતે જ કમળમાં ખીલવાની લાયકાત છે, તેથી ત્યારે જ તે ખીલે છે. પહેલાં તેના પોતામાં જ ખીલવાની લાયકાત ન હતી. પણ તેની લાયકાત બિડાઈ રહેવાની જ હતી. એક સમયે બે વિરદ્ધ પ્રકારના પર્યાયની લાયકાત તો હોઈ શકે નહિ. ૪૨. આ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. અહો, સ્વતંત્ર નિરપેક્ષ વસ્તુ સ્વભાવ છે એ સ્વભાવને જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવન પરના અહંકારથી સાચી ઉદાસીનતા આવે નહિ. વિકારનો ધણી તે મટે નહિ અને પોતાના પર્યાયનો ધણી (આધાર) જે આત્મસ્વભાવ તેની દષ્ટિ થાય નહિ. આ સ્વતંત્રતા તે જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. ૪૩. એક પરમાણુની સ્વતંત્ર તાકાત. દરેક જીવ તેમજ અજીવ દ્રવ્યોનો પર્યાય સ્વતંત્રપણે પોતાથી થાય છે. એક પરમાણુ પણ પોતાની જ શક્તિથી પરિણમે છે; તેમાં નિમિત્તનું શું પ્રયોજન છે? એક પરમાણુ પહેલા સમયે કાળો હોય અને બીજા સમય ધોળો થઈ જાય, તેમજ પહેલા સમયે એક અંશ કાળો ને બીજા સમયે અનંતગણો કાળો થઈ જાય. તેમાં નિમિત્ત કોને કહેશો? તે પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમી જાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy