SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા ૪૫ છે એમ નથી. અને કેવળજ્ઞાન થવાનું છે માટે વર્ષભનારાચસંહનાનપણે પરમાણુઓને થવું પડયું એમ પણ નથી. જ્યાં જીવની પર્યાયમાં કેવળજ્ઞાનના પુરુષાર્થની જાગૃતિ હોય છે ત્યાં શરીરના પરમાણુઓમાં વજર્ષભનારાચસંહનરૂપ અવસ્થા તેની લાયકાતથી હોય છે. બંનેની લાયકાત સ્વતંત્ર છે, કોઈના કારણે કોઈ નથી. જીવને કેવળજ્ઞાન પામવાની યોગ્યતા હોય ત્યારે શરીરના પરમાણુઓમાં વજર્ષભનારાચસંહનનરૂપ અવસ્થાની જ યોગ્યતા હોય એવા મેળ સ્વભાવથી જ છે, કોઈ એકબીજાના કારણે નથી. ૧૫. પેટ્રોલ ખૂટયું અને મોટર અટકી એ વાત સાચી નથી. એક મોટર ચાલતી હોય અને તેની પેટ્રોલની ટાંકી ફૂટી જતાં તેમાંથી પેટ્રોલ નીકળી જાય અને મોટર ચાલતી અટકી જાય ત્યાં પેટ્રોલ નીકળી ગયું માટે મોટર અટકી ગઈ એમ નથી. જે સમયે મોટરમાં ગતિરૂપ અવસ્થાની લાયકાત હોય તે સમયે તે ગતિ કરે છે. તે વખતે પેટ્રોલની અવસ્થા મોટરની ટાંકીમાં ક્ષેત્રમાં રહેવાની હોય છે. પણ પેટ્રોલ છે માટે મોટર ચાલે છે એ વાત ખોટી છે. મોટરના દરેક પરમાણુ પોતની સ્વતંત્ર કિયાવતી શક્તિની લાયકાતથી ગમન કરે છે અને પેટ્રોલ નીકળી ગયું માટે મોટરની ગતિ અટકી ગઈ એમ નથી. જે ક્ષેત્રો જે સમયે અટકવાની લાયકાત હતી તે જ ક્ષેત્રે અને તે જ સમયે મોટર અટકી છે, અને પેટ્રોલના પરમાણુઓ પણ પોતાની લાયકાતથી જ છૂટા પડ્યા છે. પેટ્રોલ ખૂટ્ય માટે મોટર અટકી એ વાત સાચી નથી. ૧૬. વાણી એની મેળે (પરમાણુઓથી) બોલાય છે, જીવ તેનો કર્તા નથી. બોલવાનો વિકલ્પ રાગ થયો માટે વાણી બોલાણી એમ નથી. અને વાણી બોલવાની હતી માટે વિકલ્પ થયો એમ પણ નથી. રાગના કારણે જ વાણી બોલાતી હોય તો, રાગ કર્તા અને કર્મ એમ ઠરે. અથવા વાણી બોલાવાની હતી માટે રાગ થયો એમ હોય તો, વાણીના પર Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy