SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાન શ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા -~ ભવની શંકા ન હોય. સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહિ. અનંત પદાર્થોને જાણનાર, અનંત ગુણોથી અને પરિપૂર્ણ ભવરહિત એવા કેવળજ્ઞાનનો જે જ્ઞાને નિર્ણય કર્યો તે જ્ઞાને પોતાના પુરુષાર્થ વડે નિર્ણય કર્યો છે કે પુરુષાર્થ વગર? જેણે ભવરહિત કેવળજ્ઞાનને પ્રતીતમાં લીધું છે તેણે રાગમાં ટકીને તે પ્રતીત કરી નથી પણ રાગથી છૂટો પાડીને પોતાના જ્ઞાનસ્વભાવમાં ટકીને ભવ-રહિત કેવળજ્ઞાનની તેણે પ્રતીત કરી છે. જે જ્ઞાને જ્ઞાનમાં ટકીને ભવરહિત કેવળજ્ઞાનની પ્રતીત કરી તે જ્ઞાન પોતે ભવરહિત છે અને તેથી તે જ્ઞાનમાં ભવની શંકા નથી. પહેલાં કેવળજ્ઞાનની પ્રતીત ન હતી ત્યારે અનંત ભવની શંકામાં ઝૂલતો અને હવે તે પ્રતીત થતાં અનંત ભવની શંકા ટળી ગઈ અને હવે એકાદ ભવે મોક્ષ માટે જ્ઞાન નિઃશંક થયું, તે જ્ઞાનમાં અનંત પુરુષાર્થ રહેલો છે. આ રીતે સર્વજ્ઞ ભગવાને પોતાના કેવળજ્ઞાનમાં જેમ જોયું હોય તેમ જ થાય' એવી યથાર્થ શ્રદ્ધામાં તો પોતાના ભવરહિતપણાનો નિર્ણય સમાઇ જાય છેએટલે કે મોક્ષનો પુરુષાર્થ તેમાં તેમાં આવી જાય છે. યથાર્થ નિર્ણયનું જોર મોક્ષ પમાડે છે. બધાં દ્રવ્યોની જેમ, પોતાના દ્રવ્યની અવસ્થા પણ ક્રમબદ્ધ જ છે. જેમ બીજા દ્રવ્યોના ક્રમબદ્ધ પર્યાય આ જીવથી નથી થતા તેમ, આ જીવનો ક્રમબદ્ધ બીજા દ્રવ્યોથી થતો નથી. પોતાના ક્રમબદ્ધ પર્યાયના સ્વભાવની પ્રતીત કરતાં પોતાના દ્રવ્યસ્વભાવમાં જ જોવાનું રહ્યું કે અહો! મારા પર્યાયો તો મારા દ્રવ્યમાંથી જ આવે છે, દ્રવ્યમાં રાગ-દ્વેષ નથી, કોઈ પર દ્રવ્ય મને રાગ-દ્વેષ કરાવતું નથી. પર્યાયમાં અલ્પ રાગ-દ્વેષ છે, તે મારી નબળાઈનું કારણ છે. નબળાઈ પણ મારા દ્રવ્યમાં નથી. આમ હોવાથી તે જીવન પર ઉપર ન જોતાં પોતાના સ્વભાવમાં જ જોવાનું રહ્યું, એટલે કે દ્રવ્યદૃષ્ટિમાં ટકવાનું રહ્યું. સ્વભાવના જોરે જ અલ્પકાળે રાગ ટાળી તે કેવળજ્ઞાન પ્રગટ કરશે જ. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy