SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભગવાનશ્રી કુંદકુંદ- કહાનજૈનશાસ્ત્રમાળા = = = = -- - -- વાળા જ્ઞાનીની ધર્મભાવનાનો આ વિચાર છે. આમાં યથાર્થ વસ્તુ સ્વરૂપની ભાવના છે, પણ આ કંઈ મિથ્યા કલ્પના કે દુ:ખના આશ્વાસન માટે નથી. આવી પડેલા કોઈ પણ સંયોગ-વિયોગને આપદાનું કારણ સમ્યગ્દષ્ટિઓ માનતા જ નથી, પણ જ્ઞાનની અધૂરી દશાના કારણે પોતાની નબળાઈથી અલ્પ રાગ-દ્વેષ થાય છે, તે વખતે સંપૂર્ણ જ્ઞાનદશા કેવા પ્રકારની હોય તેનું તેઓ નીચે પ્રમાણે ચિંતવન કરે છે. જે કાળે જે વસ્તુની જે અવસ્થા સર્વજ્ઞદેવના જ્ઞાનમાં જણાણી છે તે જ પ્રમાણે ક્રમબદ્ધ અવસ્થા થવાની. ભગવાન તીર્થંકરદેવ પણ તેને ફેરવવા સમર્થ નથી. જુઓ, આમાં સમ્યગ્દષ્ટિની ભાવનાની નિઃશંકતાનું જોર કેટલું છે! “ભગવાન પણ ફેરવવા સમર્થ નથી” એમ કહેવામાં ખરેખર પોતાના જ્ઞાનની નિઃશંકતા છે. સર્વજ્ઞદેવ માત્ર જાણે પણ કાંઈ ફેરવવા સમર્થ નથી, તો પછી હું તો શું કરું? હું પણ માત્ર જાણનાર જ છું. આમ, પોતાના જ્ઞાનની પુર્ણતાની ભાવનાનું જોર છે. જે ક્ષેત્રમાં જે દેહનું જીવન કે મરણ, સુખ કે દુઃખનો સંયોગ વગેરે જે વિધિએ થવાનું હોય તેમાં કિંચિત્ ફેર પડે નહિ. સર્પ કરડવો, પાણીમાં ડૂબવું, અગ્નિમાં બળવું, વગેરે જે સંયોગ થવાનો તેમાં ફેરફાર કરવા ત્રણ કાળ, ત્રણ લોકમાં કોઈ સમર્થ નથી. ધ્યાન રાખજો, આમાં મહાન સિદ્ધાંત છે, એકલા પુરુષાર્થની સિદ્ધિ કરે છે. આમાં બાર ભાવનાનું સ્વરૂપ સ્વામી કાર્તિકેયાચાર્ય વર્ણવે છે. તેઓ મહા સંત મુનિ હતા, બે હજાર વર્ષ પુર્વે થઈ ગયા છે; વસ્તુસ્વરૂપને દૃષ્ટિમાં રાખીને આ શાસ્ત્ર ભાવનાનું સ્વરૂપ તેમણે વર્ણવ્યું છે. આ શાસ્ત્ર સનાતન જૈન પરંપરામાં ઘણું જૂનું મનાય છે. કાર્તિકેય સ્વામી સંબંધી શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું કે – “નમસ્કાર હો તે સ્વામી કાર્તિકેયને !' આ મહા સંત મુનિના કથનમાં ઊંડું રહસ્ય છે. “નો નિર નીવો' એટલે બધા જીવોને માટે આ જ નિયમ છે કે જે જીવને જે કાળે જીવન-મરણ વગેરેના કંઈ પણ સંયોગ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008321
Book TitleVastu Vigyana sara
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Sangh
Publication Year
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Art, M000, & M005
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy