SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ - ૩ 66 તા. ૩ તથા ૪ // '૮૯ ગાથા ૩૮ ઉપર પ્રવચન આ નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો છે. તેને શુદ્ધાત્માનો અધિકાર પણ કહેવામાં આવે છે. - પરિશિષ્ટ પ્રવચન નં:-૧૭ સ્થળ:- રાજકોટ ૩ 66 અન્વયાર્થ:- આ કુંદકુંદભગવાનની મૂળ ગાથાનો અન્વયાર્થ છે. “ જીવાદિ બાહ્યતત્ત્વો ” એટલે કે–જીવ, અજીવ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ બધાં પર્યાયો છે. જીવ પણ પર્યાય છે. જીવ એટલે જે દસ પ્રકારના પ્રાણથી જીવે તેને વ્યવહારજીવ કહેવામાં આવે છે. આ જે સાતેય તત્ત્વો છે તે વ્યવહારનયનો વિષય છે. એ બાહ્યતત્ત્વ હોવાથી તે શુદ્ધાત્મા નથી. આ સાતેય તત્ત્વો શુદ્ધાત્માથી બહારમાં છે. તેનો શુદ્ધાત્મામાં પ્રવેશ થતો નથી. શુદ્ધાત્મા બંધ-મોક્ષથી રહિત છે. એવા જીવાદિ બાહ્ય તત્ત્વો તૈય છે. હૈય છે એટલે કે તેનું લક્ષ કરવા યોગ્ય નથી પરંતુ તેનું લક્ષ છોડવા યોગ્ય છે. แ કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત છે.” હવે જે આત્મા ઉપાદેય છે તે આત્મા કેવો છે? સાતેય તત્ત્વોને કર્મની ઉપાધિથી જનિત કહ્યાં પરંતુ આત્માથી જનિત નહીં. કર્મની ઉપાધિથી જન્મેલા ગુણપર્યાયો એટલે કે–ચારેયભાવો અથવા સાત તત્ત્વો જે ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષય એ ભાવોની ઉત્પત્તિ કર્મના સંગે થાય છે. તેમાં કર્મનો સદ્ભાવ અને અભાવ તે બે નિમિત્ત કારણ છે માટે તે કર્મોની ઉપાધિથી જન્મેલા ભાવો છે, તેનો કર્તા આત્મા નથી. આ ચારભાવોનો કર્તા આત્મા નિમિત્તપણે પણ નથી અને ઉપાદાનપણે પણ કર્તા નથી. તેનો નિમિત્તપણે કર્તા કોણ છે? એ ચાર પર્યાયોનો કર્તા કર્મ છે. તે કર્મના સંગે થાય છે–તેમાં કર્મનો સદ્ભાવ કે કર્મનો અભાવ નિમિત્ત છે. પારિણામિકભાવને કર્મ લાગુ પડતા નથી. ઉદય, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકને લાગુ પડે છે. * ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે.” વ્યતિરિક્ત એટલે જુદો. એવો જે શુદ્ધાત્મા છે તે શ્રુતજ્ઞાનથી જણાય છે. શ્રુતજ્ઞાનમાં ઉપાદેય થાય છે એમ કહ્યું નથી. આત્મા આત્માને ઉપાદેય છે એટલે કે–અંતર્મુખ થઈને જે પરિણમે છે તેમાં ભગવાન આત્મા ઉપાદેય થઈ જાય છે. આટલી વાત હેય અને ઉપાદેયની કરી, હવે ટીકાકાર એનો વિસ્તાર કરે છે. 6 . આ આ એટલે ગાથા આ ગાથામાં ‘હેય ’ શું અને ‘ઉપાદેય ’ શું? એવા તત્ત્વના સ્વરૂપનું કથન છે.” આવું મથાળું બાંધી ને હવે તેની ટીકા કરે છે. แ જીવાદિ સાત તત્ત્વોનો સમૂહ”, (૧) જીવ એટલે કે વ્યવહારજીવ. જે જીવ Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy