SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ સમયસાર સિદ્ધિ ભાગ-૫ એક સમયની પર્યાયમાં પણ જે નથી. એવો પૂરણ પરમાત્મા અનંત ભગવાનસ્વરૂપ, તે વિકલ્પ રહિત થઈને અનુભવી શકાય છે, કેમકે એનાં સ્વભાવથી એ અનુભવાય છે. વિકલ્પ છે ઈ કાંઈ એનો સ્વભાવ નથી, એ તો વિભાવ છે. એ આવે છે ને અલિંગગ્રહણ'માં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે” છઠ્ઠો બોલ છે ને? આહાહાહા ! શું વાત એય અમૃતચંદ્રાચાર્યનું છે ને અલિંગગ્રહણ. આહાહા! પોતાના સ્વભાવથી જણાય એવો તે ભગવાન પ્રત્યક્ષ જ્ઞાતા છે. આહાહાહા ! એ વિકલ્પથી તો જણાય નહીં પણ પરોક્ષ રહી શકે તેવી એ ચીજ નથી. આહાહાહા ! જો તું તેના તરફ ઢળને ઝુકાવ કર તો. આહાહા ! જે કાંઈ છે તે આ પ્રભુ એક ભગવાન શાયક અનંત ગુણની રાશિ, અનંતગુણની રાશિ, એમાં ગુણભેદનાં વિકલ્પને પણ જ્યાં અવકાશ નથી. એવો એક ગુણરાશિ ઢગલો પડ્યો છે મોટો. આહાહાહા! અનંતગુણનો ડુંગર, સુખનો સાગર કહેવો હોય ત્યારે દરિયો કહેવાય આ મોટપવાળો અનંતગુણનો ડુંગર. જે છે તે એ એક જ છે કહે છે. માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે. ભગવાનને પણ એક હજાર ને આઠ નામે કહેવાય છે ને. સ્તુતિ છે ને ભગવાનની એક હજારને આઠ નામ. અનંત નામથી પણ કહે તોય પુરું પડે એવું નથી. આહાહા! કે જેના ગુણ અનંતા...અનંતા...અનંતા.. અનંતા...અનંતા...અનંતા...અનંતા એવા અનંતાનો અંત નહીં, અનંતાના અનંતાનો અંત નહીં એવો મોટો રાશિ ગુણનો સ્વભાવ છે, વસ્તુ છે, સત્ છે એને કોઈ મર્યાદા છે નહીં, એવી એ ચીજ છે, એને ગમે તે નામથી કહો તો પણ પ્રભુ, એ છે ઈ છે. આહાહા ! ( શ્લોક - ૯૪ ) (શાર્વવિદ્રીડિત) दूरं भरिविकल्पजालगहने भ्राम्यन्निजोधाच्चयुतो दूरादेव विवेक निम्नगमनान्नीतो निजौधं बलात् विज्ञानैकरसस्तदेकर सिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४।। આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે છે શ્લોકાર્ધ - [તોયેવત] જેમ પાણી પોતાના સમૂહથી વ્યુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [મચં] આ આત્મા [નિન-ગોવાવ્યુત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી ચુત થયો થકો [ મૂરિ- વિન્ય નાન-દતૂરં-શ્રામ્યન] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [તૂરત વ ] દૂરથી જ [ વિવેવ-નિમ્ન- મનાત] વિવેકરૂપી ઢાળવાળા માર્ગ દ્વારા [ નિન-મોહેં-વનાત
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy