SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૬૦ ૯૫ હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છે - શ્લોકાર્થ-[qનન-પુયસો: ગૌMય-શૈત્ય-વ્યવસ્થા](ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ [ જ્ઞાનાત વ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. [નવાસ્થાને વ્યવસિ: જ્ઞાનતિ વ ૩7 સતિ] લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે(અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદવિશેષ નિરસ્ત થાય છે). [સ્વરવિવસનિત્યચૈતન્યધાતો: ર ોધાવે: fમવા] નિજ રસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, [ વર્ણ ભવમ મિન્વતી] કર્તત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો, [ જ્ઞાનાત્ વ પ્રમવતિ] જ્ઞાનથી જ પ્રગટ થાય છે. ૬૦. શ્લોક-૬0 ઉપર પ્રવચન ज्ञानादेव ज्वलनपयसोरोष्ण्यशैत्यव्यवस्था ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः। ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातो: क्रोधादेश्च प्रभवति भिदा भिन्दती कर्तृभावम्।।६०।। આહા ! “જવલન-પયસો ઔષ્ણય-શૈત્ય-વ્યવસ્થા” ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ, પાણી જે ઉનું છે, એ ઉનું અગ્નિનું સ્વરૂપ છે, એ પાણીનું નહીં. પાણી શીતળ છે, એમ ઉષ્ણતા અને શીતળતાનો ભેદ, ઓલામાં તો લીધું સ્વરૂપગ્રાહી જ્ઞાની એ જાણે છે, જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે એ પાણી શીતળ ને ઉનું એ અગ્નિ, એવો ભેદ સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે, અજ્ઞાની નહિ. જેને સ્વ ને પરનું ભેદજ્ઞાન થયું છે, રાગથી ભિન્ન ભગવાન આત્માનું સ્વ પરનું જ્ઞાન થયું છે, એવો જે સ્વરૂપગ્રાહી જ્ઞાની તે પાણી ઠંડુ અને ઉનું ગરમ અગ્નિ એનો ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાન તે પરને જાણે છે. આમ બીજો જાણે છે એવું નહિ, તેને ખબર નથી કે આ વસ્તુ છે. કળશમાં છે ને (વસ્તુ છે મૂળ ઈ ) “જ્ઞાનાત્” એમ છે ને ત્યાં, જ્ઞાનાત્ જ્ઞાનથી એટલે? ભેદજ્ઞાનથી, ભેદજ્ઞાનથી એટલે જેને સ્વરૂપનું જ્ઞાન થયું છે, કે હું જ્ઞાન ને આનંદ છું, એવા જ્ઞાનથી જ ગરમ પાણીમાં ઉષ્ણતા ને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી પ્રગટ જાણે છે. જેને સ્વનું જ્ઞાન થયું છે, એ પરના જ્ઞાનને યથાર્થ રીતે પાણી શીતળ ને અગ્નિ ઉષ્ણ એમ ભેદ તે સ્વરૂપગ્રાહી જ્ઞાની જાણે છે, અજ્ઞાની તેને જાણતો નથી. આહાહાહા ! ( શ્રોતા:- કથંચિત્ પાણી ઉનું અને કથંચિત્ પાણી ઠંડુ છે એમ) બિલકુલ નહિ, પાણી ઉનું છે એ ગરમીનું, આંહીં તો એનો સ્વભાવ શીતળ છે એમ ભગવાનનો સ્વભાવ શીતળ, શાંત, વીતરાગ છે, રાગ છે તે ઉપાધિ છે કર્મની. આહાહાહા ! આકરું કામ છે. આહાહા ! ગરમ પાણીમાં ગરમ પાણીમાં ઉષ્ણતા તે અગ્નિની છે અને પાણી તે શીતળ છે, એવી જુદાઈ પરની પોતાનું જ્ઞાન જેને થયું છે તે પરને
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy