SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૮૪ સમયસાર [ભગવાનશ્રીકુંદકુંદ (શાર્દૂનવિદ્રીડિત) ये त्वेनं परिहृत्य संवृतिपथप्रस्थापितेनात्मना लिङ्गे द्रव्यमये वहन्ति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखण्डमेकमतुलालोकं स्वभावप्रभाप्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यन्ति ते ।। २४१ ।। જ નિરંતર ધ્યાવે છે, [તં ચેતતિ] તેને જ ચેતે-અનુભવે છે, [ ૬ દ્રવ્યાન્તરાળિ અસ્પૃશન્ તસ્મિન્ વ નિરન્તર વિહરતિ] અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, [સ: નિત્ય-૩વયં સમયસ્ય સારમ્ અવિરાત્ અવશ્ય વિન્વતિ] તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને ) થોડા કાળમાં જ અવશ્ય પામે છે-અનુભવે છે. ભાવાર્થ:નિશ્ચયમોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. ૨૪૦. ‘ જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમયસારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી'–એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છે: શ્લોકાર્થ:- [યે તુનું પરિૠત્ય સંવૃતિ-પથ-પ્રસ્થાપિતેન માત્મના દ્રવ્યમયે નિક્કે મમતાં વન્તિ] જે પુરુષો આ પૂર્વોક્ત ૫૨માર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહા૨મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે ), [તે તત્ત્વ-અવવોધવ્યુતા: અઘ અપિ સમયસ્ય સારમ્ ન પશ્યન્તિ] તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજી સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને ) દેખતા-અનુભવતા નથી. કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધ આત્મા ? [નિત્ય-પદ્યોત્તમ] નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શક્યું નથી ), [ અવન્તુમ્ ] અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), [[] એક છે ( અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી, [ ઋતુન-માનો ં] અતુલ (-ઉપમારહિત ) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી ), [ સ્વમાવ-પ્રમા—પ્રાભાર] સ્વભાવપ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે), [ગમાં] અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). (આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણસમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્યસમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય?) ૨૪૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy