SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૧ પર્યાય થઈ છે આમથી, એમ નથી. શરીર છૂટયું માટે આત્મા નીકળી ગ્યો એમ નથી. એ (જીવની ) નીકળવાની પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી થાય છે. નીકળવાની પર્યાયની સિદ્ધિ શરીરના આયુષ્ય (કર્મ) થી થતી નથી. આ... રે... આ! આ આયુષ્ય આનું પૂરણ થઈ ગ્યું માટે આત્મા એમાંથી નીકળ્યો, એમ નથી. એ આત્મા એમાંથી નીકળ્યો, એ નીકળવાની પર્યાય આત્માની એ એના દ્રવ્યને લઈને છે. એના કર્તા-કરણ એ દ્રવ્ય છે એ આયુષ્ય લઈને આત્મા (શરીર) અંદર રહે છે, એમ નથી. ઝીણી વાત છે ભાઈ ! (અત્યારે તો) તત્ત્વની વાત જ આખી ગૂમ થઈ ગઈ છે. બહારના ક્રિયાકાંડમાં જોડાઈ ગ્યા તત્ત્વ શું છે? (સમજણ વિના) ખીચડો કરી નાખ્યો!! આહા.. હા! (શ્રોતા:) આમ તો ખીચડો બહુ મીઠો લાગે...! ( ઉત્તરઃ) ખીચડામાં કાંકરા નાખે તો ખીચડો સારો ન લાગે. એમ એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં ભેળવે, એ સારો ન લાગે! ખીચડો છે, મિથ્યાત્વ છે. આહા.. હા.. હા! દ્રવ્ય-ગુણ અને પર્યાય એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી – એક ન હોય તો, બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી” એક ન હોય, તો બીજાં બે ન હોય. દ્રવ્ય ન હોય તો ગુણ, પર્યાય ન હોય. ગુણ, પર્યાય ન હોય તો દ્રવ્ય ન હોય. બીજું દ્રવ્ય ન હોય તો, આના ગુણ, પર્યા ય ન હોય એમ નહીં. આહા...! દરેક દ્રવ્યની પર્યાય, એના દ્રવ્યથી છે. એની પર્યાય પરથી નથી. આહા... હા... હા ! આત્મામાં જે રાગદ્વેષની પર્યાય થાય, એ પર્યાય ને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે. અને એ દ્રવ્ય છે એની સિદ્ધિ (એના) ગુણ, પર્યાયથી છે. એ રાગદ્વેષ કર્મને લઈને ચ્યા છે. એમ છે નહીં. આહા... હા! એ રાગ ને દ્વેષની પર્યાય (એટલે ) ચારિત્રગુણની વિપરીત પર્યાય, એ પર્યાય ને ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે કે “આ આત્મા છે” અને એ આત્મા તે ગુણ ને પર્યાયની સિદ્ધિ કરે છે તેને લઈને આત્મા છે. આહા... હા... હા! આત્મામાં જે વિકાર થાય, એ કર્મને લઈને વિકાર થાય, એમ નથી. એને નથી. એને લઈને વિકારની પર્યાય નથી (થઈ ). વિકારની પર્યાયને ગુણથી તો દ્રવ્યની સિદ્ધિ છે. દ્રવ્યને લઈને ગુણ, પર્યાયની સિદ્ધિ છે. આહા... હા. હા ! આકરું કામ !! આ તો કર્મને લઈને વિકાર થાય, કર્મને લઈને વિકાર થાય.. મારી નાખ્યા જગતને! (શ્રોતા:) નાનપણથી જ એવું શીખ્યા” તા (ઉત્તર) નાનપણથી શીખ્યા” તા વાત સાચી છે. આંહી નાનપણથી (આવું ) શીખ્યા છીએ, એકોતેરથી કે કર્મથી વિકાર ન થાય. ચોસઠ વરસ પહેલાં. (કહે છેઃ) દરેક દ્રવ્યની વિકૃત અવસ્થા, એનું હોવાપણું, એની સિદ્ધિ, એના દ્રવ્યને લઈને છે. અને વિકારની પર્યાયની સિદ્ધિ દ્રવ્યને લઈને છે. એની સિદ્ધિ થી દ્રવ્યની સિદ્ધિ અને દ્રવ્યની સિદ્ધિથી પર્યાયની સિદ્ધિ (થાય છે.) પણ પર્યાયમાં વિકાર છે માટે એની સિદ્ધિ, કર્મને લઈને છે, એમ નથી. આરે... આ! આકરું કામ ભારે ! સમજાય છે? ભાષા તો સાદી પણ ભાઈ ! ભાવ તો... આહા...! વીતરાગના ! હા. હા.. હાહા ! હજી તો, બહુ આજે આવશે. બે પણ નથી “એક ન હોય તો બીજા બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) તેમનું અસ્તિત્વ એક જ છે; સુવર્ણની જેમ.” આહા... હા! “જેમ દ્રવ્ય, ક્ષેત્રે, કાળે કે ભાવે સુવર્ણથી જેઓ પૃથક જોવામાં આવતા નથી.” જેમ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી કે ભાવથી સુવર્ણથી જેઓ જુદા જોવામાં આવતા નથી. છે? જેઓ એટલે પીળાશ આદિ ગુણો. અને કુંડળ આદિ પર્યાય. એ દ્રવ્ય, સ્ત્ર, કાળ, ભાવ, સુવર્ણથી જુદા જોવામાં આવતા નથી. “કર્તા-કરણ - અધિકરણરૂપે પીળાશ આદિગુણોના અને કુંડળાદિપર્યાયોના સ્વરૂપને ધારણ કરીને.” Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy