SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૯૬ પ્રવચનસાર પ્રવચનો ૧૨૦ પરસ્પર સિદ્ધ થતાં હોવાથી - એક ન હોય તો બીજાં બે પણ સિદ્ધ નહિ થતાં હોવાથી) આહા.... હા! શું કહે છે? દરેક આત્મા ને દરેક પરમાણુ એની જે વર્તમાન પર્યાય છે, એની સિદ્ધિ તેના દ્રવ્યને લઈને છે, એ પર્યાયની ઉત્પત્તિ તેના દ્રવ્યને લઈને છે. બીજા દ્રવ્યને લઈને તેની ઉત્પત્તિ (છે) એમ ત્રણ કાળમાં છે નહીં. આહા..! (શ્રોતાઓ) ત્યારે કામ કરવું નહીં ને! (ઉત્તર) કામ કરી શકતો નથી. કામ કરી શકતો નથી. કામ શું કરે? ઘડાની ઉત્પત્તિમાં માટી પોતે ઉત્પત્તિનું કારણ છે. એની ઉત્પત્તિમાં કુંભાર કારણ છે, એમ નથી. આહા... હા.... હા ! (શ્રોતા:) નિમિત્ત કારણ તો છે...! (ઉત્તર) નિમિત્ત! ભલે હો, હો તે કોણ ના પાડે છે. પણ એનાથી (ઘડો) ઉત્પન્ન થતો નથી. નિમિત્ત હો ! અહીંયાં એ તો સિદ્ધ કે દ્રરેક દ્રવ્યમાં તેનું અસ્તિત્વ પૂરું સમાઈ જાય છે. એમ એક-એક દ્રવ્યના દ્રવ્ય- ગુણ – પર્યાયમાં (જુદું - જુદું) અસ્તિત્વ સમાઈ જાય છે, એમ નથી એ ત્રણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) થઈને એક અસ્તિત્વ છે. આવી વાતું છે ભાઈ ! ભગવાનની વાણી છે આ તો. આહા.... હા ! એ દિગંબર સંત ! આચાર્યે ત્યાંથી આવીને આ બનાવી છે બાપુ! એવી વાત ક્યાંય, બીજે છે નહીં. આહા... હા! (અહીંયાં કહે છે કેઃ) તે અસ્તિત્વ- જેમ ભિન્ન ભિન્ન દ્રવ્યોને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જાય છે તેમ - દ્રવ્ય-ગુણ-પર્યાયને વિષે પ્રત્યેકમાં સમાપ્ત થઈ જતું નથી, કારણ કે તેમની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી”. આત્માનું દ્રવ્ય, તેના ગુણ-પર્યાયથી, (તેની) સિદ્ધિ થાય છે. ગુણ-પર્યાયની સિદ્ધિ તેના દ્રવ્યથી થાય છે. સિદ્ધિ એટલે સાબિત થાય છે. આહા... હા! આ શરીર છે, રજકણો. એમાં અસ્તિત્વ ગુણ છે. અને અહીંયાં પર્યાયે અસ્તિત્વની આ. (તો) ગુણ ને પર્યાયમાં એક – એકમાં આનું અસ્તિત્વ પૂરું થતું નથી. એ દ્રવ્ય-ગુણ – પર્યાય થઈને એનું અસ્તિત્વ એક છે. છે? અને તેના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અસ્તિત્વનું ગુણ પર્યાયમાં તેના દ્રની સિદ્ધિ છે અને દ્રવ્યને લઈને ગુણ-પર્યાયની સિદ્ધિ છે. સમજાય છે? દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. કોઈઈ (દ્રવ્યને) કોઈ (બીજું દ્રવ્ય) કરે એવું ત્રણ કાળમાં નથી. આહા... !! આ શરીર જે ચાલે છે. આમ, એ એના અસ્તિત્વ ગુણની પર્યાયથી આમ – આમ ચાલે છે. એ આત્માથી ચાલે છે શરીર આમ, ત્રણ કાળમાં નથી, લોકોને તત્ત્વ ભિન્ન ભિન્ન છે એની શ્રદ્ધાની ખબર નથી. ખીચડો કરે. એક તત્ત્વ બીજા તત્ત્વનું આમ કરે ને...! બીજું તત્ત્વ આમ કરે ને..! આહા... હા ! અહીંયાં તો એમ કહે છે કે તેની સિદ્ધિ' એટલે દ્રવ્ય – ગુણ પર્યાયની સિદ્ધિ –દરેક વસ્તુ – દ્રવ્ય એટલે કાયમી પદાર્થ, ગુણ એટલે એની શક્તિ, પર્યાય એટલે એની અવસ્થા. એની સિદ્ધિ પરસ્પર થતી હોવાથી - (એટલે) ગુણ-પર્યાયને લઈને દ્રવ્યની સિદ્ધિ ને દ્રવ્યને લઈને ગુણપર્યાયની સિદ્ધિ થાય છે). એમની સિદ્ધિને માટે કોઈ પરદ્રવ્યની સિદ્ધિની જરૂર છે, એમ છે નહીં. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયની સિદ્ધિ “એકબીજાથી પરસ્પર સિદ્ધ થતાં હોવાથી આત્મ દ્રવ્યથી તેના ગુણ, પર્યાયની સિદ્ધિ અને ગુણ, પર્યાયથી આત્મદ્રવ્યની સિદ્ધિ પણ શરીરના દ્રવ્ય-ગુણ- પર્યાયની સિદ્ધિથી આત્માના દ્રવ્ય-ગુણ – પર્યાયની સિદ્ધિ, એમ નથી (શ્રોતા ) નાડી બંધ થઈ જાય છે ત્યારે જીવ જાય છે.! (ઉત્તર) એની મેળાએ જાય છે. એ પર્યાય જાય કોણ? એ પર્યાય છે જડની. નાડી હાલે છે એ જડની પર્યાય છે. એ નાડી બંધ થાય એ તો જડની દશા છે. (શ્રોતા:) પણ જીવ વયો ગ્યો છે.! (ઉત્તર) વયો ગ્યો! જાય ક્યાં? એ પોતાનું અસ્તિત્વ દ્રવ્ય-ગુણ-પર્યાય રાખીને અહીંથી ખસી ગ્યો છે. એની પોતાની પર્યાયને સિદ્ધ કરે છે દ્રવ્ય. એ આને લઈને Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008295
Book TitlePravachana sara Pravachano
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1995
Total Pages549
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy