SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮] [પ્રવચન રત્નચિંતામણી : ભાગ-૩ (મતિની) “यमनियमनितान्तः शान्तबाह्यान्तरात्मा परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी । विहितहितमिताशी क्लेशजालं समूलं । હૃતિ નિહાનિદ્રો નિશિતાણામસાર: ” “(શ્લોકાર્થ:-) જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત (-શાસ્ત્રાજ્ઞા મુજબનું) *હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને સમૂળગી બાળી નાખે છે.” વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે) : (શાનિની) भुक्त्वा भक्तं भक्तहस्ताग्र दत्तं ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम् । तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी प्राप्नोतीद्धां मुक्तिवारांगनां सः ॥८६॥ (શ્લોકાર્થ:-) ભક્તના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યફ તપને) તપીને, તે સત્ તપસ્વી (-સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (-મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬. ( ગાથા - ૬૩ ઉપરનું પ્રવચન “અહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે-' મુનિદશામાં આહાર લેવાના વિકલ્પની વૃત્તિ છે તે વ્યવહાર એષણાસમિતિ છે અને તે સમિતિ કેવી હોય તેનું અહીં વર્ણન છે. નિશ્ચય એષણાસમિતિ તો પોતાના આત્માને શોધીને નિર્મળ પરિણતિરૂપ પરિણમન કરવું તે છે. ત્રણકાળના સમયથી પણ અનંતગુણા * હિત-મિત = હિતકર અને માપસર
SR No.008281
Book TitlePravachana Ratna Chintamani 3
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy