SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪: પ્રવચન નવનીત ભાગ-૧ વાત! ... મહાસંત, મહા મુનિ ભાવલિંગી સંત હતા. અંતરમાં આનંદનું સ્વસંવેદન, ઉગ્રપણે સ્વઆનંદનું વેદન, એ એમનું ભાવલિંગ-ભાવચિહ્ન હતું. સાધુનું ચિહ્ન તો એ ભાવલિંગ છે. નગ્રપણું અને પંચ મહાવ્રત તે તો દ્રવ્યલિંગ છે. સમજાય છે કાંઈ ? પરંતુ અહીંઆ તો છ દ્રવ્યસ્વરૂપમાં દ્રવ્યલિંગ પણ આવી ગયું. પંચમહાવ્રત આદિના પરિણામ પણ છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયા. સાધુનાં જે અઠાવીસ મૂળગુણ છે તે પણ અહીં છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયા; “આત્મા’ માં નહિ. આહા... હા ! તે છ દ્રવ્યસ્વરૂપ લોક! અહો! ઘણું ગંભીર!! આવી ચીજ ક્યાંય છે નહિ. દિગંબર–સંત સિવાય “આ વાત' ત્રણકાળમાં ક્યાંય નથી. લોકોએ વિચાર કર્યો નથી, અને નિર્ણય કર્યો નથી કે ચીજ કેવી હોવી જોઈએ? અને હોય તો તે કેવી છે? અહીં કહે છે કે ભગવાન આત્મા કેવો છે? કેઃ “અવ્યક્ત” છે. છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે “શય” છે. ને આત્મા એકબાજુ એકલો “જ્ઞાયક' છે. અને જ્ઞય છે તે “વ્યક્ત' છે. આ બીજું વિશેષણ. ઝીણી વાત છે, ભાઈ ! છ દ્રવ્યસ્વરૂપ લોક જે છે તે ( આત્માથી) બાહ્ય છે, પ્રગટ છે. (લોકને ) “ય' કહ્યું અને “વ્યક્ત' કહ્યું- બે વિશેષણ કહ્યાં. “છે દ્રવ્યસ્વરૂપ લોક છે' એ સર્વજ્ઞ પરમેશ્વરે જ દેખ્યા છે, જિનેન્દ્ર સિવાય કોઈએ “છ દ્રવ્ય ' જોયા નથી. આહા... હા ! એ “છ દ્રવ્યસ્વરૂપ લોક’ - અનંત આત્માઓ આદિપંચમહાવ્રતના વિકલ્પ આદિ-દ્રવ્યલિંગ-નગ્નપણા આદિ, એ બધાય છ દ્રવ્યસ્વરૂપ લોકમાં શેયમાં આવી ગયા. જોય છે તે વ્યક્તિ છે. એ શેય છે. એ ( આત્માથી) બાહ્ય છે. વ્યક્ત અર્થાત્ બાહ્ય છે. એનાથી ભિન્ન, ભગવાન (આત્મા) અંતર-અભ્યતર છે. આહા... હા. હા ! સૂમ વાત છે ! આ તો અઢારમી વાર વંચાય છે. એક એક શબ્દનો અર્થ કરીને આખું “સમયસાર” સત્તર વાર સભામાં વંચાઈ ગયું છે. અહીંઆ આ (અવ્યક્તની) વાત તો ઘણી સૂક્ષ્મ છે. આહા.... હા ! છ દ્રવ્યસ્વરૂપ લોક જ્યારે “શેય' છે ત્યારે ભગવાન આત્મા એકલો “જ્ઞાયક' છે... બસ! રાગ-દ્વેષ-પુણ્ય-પાપ-એ બધા. તો “પરશેય' માં જાય છે. (તેમજ) વ્યવહાર રત્નત્રય, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, પંચમહાવ્રતના પરિણામ, અને વિકલ્પાત્મક નવતત્ત્વની શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું જ્ઞાન-એ બધું બાહ્ય ‘ય’ માં જાય છે. –એનાથી ભિન્ન, આત્મા તો “જ્ઞાયક' છે, અને જ્યારે છ દ્રવ્યસ્વરૂપ લોક અને વ્યવહાર આદિના વિકલ્પ એ વ્યક્ત છે–બાહ્ય છે- પ્રસિદ્ધ છે– પ્રગટ છે; તો એ અપેક્ષાથી, ભગવાન આત્મા અવ્યક્ત છેઅભ્યતર છે- ભિન્ન છે. આહા... હા... હા ! આટલા જ શબ્દમાં એટલું બધું ભર્યું છે!! વાંચી જાય... એમ ને એમ કે “સમયસાર” વાંચી ગયા..! પણ, બાપુ! “સમયસાર” તો કોઈ અલૌકિક ચીજ છે !! Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy