SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૪૯: ૩ અનંત અનંત જ્ઞયોમાં-અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અનંત તીર્થકરો, અનંત કેવળીઓ, અનંત મુનિઓ-એ બધાં, છ દ્રવ્યસ્વરૂપમાં આવે છે અને એને “ય' કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? આત્મા જ્ઞાયક છે “એ” છ દ્રવ્ય-શયથી ભિન્ન છે; તે કારણથી છ દ્રવ્યથી ભિન્ન “તે” સપ્તમ (દ્રવ્ય) છે. છે તો તે છ દ્રવ્યમાં-આત્મા છે તો છે દ્રવ્યમાં. પણ અહીં એક બાજુ “આત્મા” અને એક બાજુ છ દ્રવ્ય - એમ કહેવામાં, છ દ્રવ્ય જે છે તે જાણવા લાયક “ય” છે તો ભગવાન આત્મા અંદર “જ્ઞાયક” છે (તે) પૂર્ણ–બધાને-સ્વને અને પરને જાણવાવાળો “જ્ઞાયક' છે. “એ” સમ્યગ્દર્શનનો વિષય છે. આહા... હા... હા ! સમ્યગ્દર્શન, સ્વસંવેદન, શુદ્ધાત્મ-પ્રાપ્તિ, શુદ્ધાત્મ-આચરણ-સ્વરૂપાચરણ, બધા સમ્યગ્દર્શનની પ્રાતિકાળે સાથે છે. આહા... હા! હજુ તો (લોકોને) ચોથા ગુણસ્થાનની પણ ખબર ન મળે ! પાંચમું છઠું તે તો અલૌકિક વાતો છે !! પ્રશ્ન:- “છ દ્રવ્યસ્વરૂપ” એમ કેમ કહ્યું? સમાધાન:- અહીં કહે છે કેઃ છ દ્રવ્યસ્વરૂપ વસ્તુ છે, અજ્ઞાની તો “એક જ આત્મા” કહે છે. અને કાળદ્રવ્યને પણ કોઈ કોઈ માનતા નથી. પણ અહીં તો છ દ્રવ્યમાં કાળદ્રવ્ય પણ આવી ગયું. અનંત આત્માઓ અને એનાથી અનંતગુણા પરમાણુઓ ( આ પુદગલદ્રવ્ય જીવદ્રવ્યથી અનંતગુણા છે); અસંખ્ય કાલાણુઓ; એક ધર્માસ્તિ; એક અધર્માતિ અને એક આકાશ'- એ છ દ્રવ્ય- એ છ દ્રવ્યસ્વરૂપ આ લોક છે, ધર્માસ્તિ અને અધર્માસ્તિ; દ્રવ્ય તો સર્વજ્ઞ ભગવાને જ જાણ્યા છે, એ (સર્વજ્ઞ અનુસારી આમ્નાય) સિવાય બીજા કોઈ સંપ્રદાયમાં ધર્માસ્તિ-અધર્માતિ દ્રવ્યને જાણ્યા જ નથી. અને તેમાં છે જ નહિ. (એમ અહીં) સિદ્ધ કર્યું કે: છ દ્રવ્યસ્વરૂપ છે. કાળ છે, આકાશ છે. ધર્માતિ છે, અધર્માસ્તિ છે, અનંત આત્માઓ છે (નિગોદના જીવ એક અંગુલના અસંખ્યમાં ભાગ (ક્ષેત્ર) માં અસંખ્ય શરીર અને એક એક શરીરમાં અનંત આત્માઓ છે, એવા આત્માથી આખો લોક ભર્યો છે) અને એનાથી અનંતગુણા પરમાણુ (છે જે આખા લોકમાં) ભર્યા છે. – એ બધું “જ્ઞય' (છે, તે) લોકમાં જાય છે. “નયંતે રૂતિ નો:” જાણવામાં આવે તે ચીજને (જ્ઞયને) અહીં લોક કહે છે અને લોક (લોકાકાશ) સિવાય જે ખાલી ભાગ છે તે અલોક છે. અસંખ્ય યોજનમાં આ લોક છે, તેના પછી ચારેય બાજુ ખાલી ખાલી.. ખાલી.. અનંત.... અનંત. અનંત... અનંત (જે ક્ષેત્ર છે) કે જેનો ક્યાંય અંત નથી, તેને અલોકાકાશ કહે છે, તે પણ છ દ્રવ્યસ્વરૂપમાં આવી ગયું અને તે (પણ) જ્ઞયમાં આવી ગયું અને એ બધાને જાણવાવાળો જે જ્ઞાયક આત્મા તે પણ એમાં આવી ગયો. પણ અહીં તો ( જ્ઞાયકને ) ભિન્ન બતાવવો છે, આહા.... હા ! સૂક્ષ્મ વાત છે, ભાઈ ! શ્રી કુંદકુંદ આચાર્ય પછી, હજાર વર્ષ પછી શ્રી અમૃતચંદ્ર આચાર્ય થયા. અલૌકિક Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008278
Book TitlePravachana Navneet 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year
Total Pages357
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy