SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] શુદ્ધભાવ અધિકાર णो खलु सहावठाणा णो माणवमाणभावठाणा वा। णो हरिसभावठाणा णो जीवस्साहरिस्सठाणा वा॥३९॥ न खलु स्वभावस्थानानि न मानापमानभावस्थानानि वा। न हर्षभावस्थानानि न जीवस्याहर्षस्थानानि वा॥३९॥ निर्विकल्पतत्त्वस्वरूपाख्यानमेतत् । त्रिकालनिरुपाधिस्वरूपस्य शुद्धजीवास्तिकायस्य न खलु विभावस्वभावस्थानानि। प्रशस्ताप्रशस्तसमस्तमोहरागद्वेषाभावान्न च मानापमानहेतुभूतकर्मोदयस्थानानि। न खलु शुभपरिणतेरभावाच्छुभकर्म, शुभकर्माभावान्न संसारसुखं, संसारसुखस्याभावान्न हर्षस्थानानि। न चाशुभपरिणतेरभावादशुभकर्म, अशुभकर्माभावान्न दुःखं, दुःखाभावान्न चाहर्षस्थानानि વેતિા . જીવને ન સ્થાન સ્વભાવનાં, માનાપમાન તણાં નહીં, જીવને ન સ્થાનો હર્ષનાં, સ્થાનો અહર્ષ તણાં નહીં. ૩૯. અન્વયાર્થ –[ળીવય] જીવને [ઘ] ખરેખર [સ્વભાવસ્થાનાનિ] સ્વભાવસ્થાનો (-વિભાવસ્વભાવનાં સ્થાનો) નથી, [ન માનાપમાનમાવસ્થાનાનિ વા] માનાપમાનભાવનાં સ્થાનો નથી, [ન રમાવસ્થાનાનિ] હર્ષભાવનાં સ્થાનો નથી [વા] કે [ન સહર્ષસ્થાનાનિ] અહર્ષનાં સ્થાનો નથી. ટીકા –આ, નિર્વિકલ્પ તત્ત્વના સ્વરૂપનું કથન છે. ત્રિકાળનિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા શુદ્ધ જીવાસ્તિકાયને ખરેખર વિભાવ સ્વભાવસ્થાનો (-વિભાવરૂપ સ્વભાવનાં સ્થાનો) નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) પ્રશસ્ત કે અપ્રશસ્ત સમસ્ત મોહરાગદ્વેષનો અભાવ હોવાથી માન-અપમાનના હેતુભૂત કર્મોદયનાં સ્થાનો નથી; (શુદ્ધ જીવાસ્તિકાયને) શુભ પરિણતિનો અભાવ હોવાથી શુભ કર્મ નથી, શુભ કર્મનો અભાવ હોવાથી સંસારસુખ નથી, સંસારસુખનો અભાવ હોવાથી હર્ષસ્થાનો નથી; વળી (શુદ્ધ જીવાસ્તિકાયને) અશુભ પરિણતિનો અભાવ હોવાથી અશુભ કર્મ નથી, અશુભ કર્મનો અભાવ હોવાથી દુઃખ નથી, દુઃખનો અભાવ હોવાથી અહર્ષસ્થાનો નથી. [હવે ૩૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે :]
SR No.008272
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages393
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy