SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 003: remember to check http://www.AtmaDharma.com for updates પાંચમો અધિકાર [ ૧૪પ વળી નગરપુરાણમાં ભવાવતારરહસ્યમાં કહ્યું છે કે 'अकारादिहकारान्त मु‘धोरेफसंयुतम्। नादबिन्दुकलाक्रान्तं चंद्रमण्डलसन्निभम्।। एतद्देवि परं तत्त्वं यो विजानातितत्त्वतः। संसारबन्धनं छित्वा स गच्छेत् परम गतिम्।। અહીં “અહું” એ પદને પરમતત્ત્વ કહ્યું, અને તેને જે વસ્તુતઃ (ખરેખર) જાણે છે તેને પરમગતિની પ્રાપ્તિ કહી. આ “અહં” પદ તો જૈનમતોક્તિ છે. વળી નગરપુરાણમાં કહ્યું છે કે दशभिर्भोजितैर्विप्रैः यत् फलं जायते कृते। मुनेरर्हत्सुभक्तस्य तत्फलं जायते फलौ।। અહીં કૃતયુગમાં દશ બ્રાહ્મણોને ભોજન કરાવવાનું જેટલું ફળ કહ્યું, તેટલું કળિયુગમાં એક અહંતભક્ત મુનિને ભોજન કરાવવાનું કહ્યું છે. તેથી જૈનમુનિ ઉત્તમ ઠર્યા. વળી મનુસ્મૃતિમાં એમ કહ્યું છે કે कुलादिबीजं सर्वेषं प्रथमो विमलवाहनः। चक्षुष्मान यशस्वी वाभिचन्द्रोऽथ प्रसेनजित्।।१।। मरुदेवी च नाभिश्च भरते कुलसत्तमाः।। अष्टमो मरुदेव्यां तु नाभेर्जात उरुक्रमः।।२।। दर्शयन् वर्क्स वीराणां सुगसुरनमस्कृतः। नीतित्रितयकर्ता यो युगादौ प्रथमो जिनः।।३।। અહીં વિમલવાહનાદિક મનુ કહ્યા, પણ જૈનમાં કુલકરોનાં એ જ નામ કહ્યા છે, તથા યુગની આદિમાં પ્રથમ જિનને માર્ગદર્શક અને સુરાસુર દ્વારા પૂજિત કહ્યા. હવે જો એમ જ છે, તો જૈનમત યુગની આદિથી જ છે, તથા પ્રમાણભૂત છે, એમ કેમ ન કહેવું? વળી ઋગ્વદમાં પણ કહ્યું છે કે ॐ त्रैलोक्यप्रतिष्ठातान्, चतुर्विंशति तिर्थंकरान; ऋषभाद्यान् वर्द्धमानान्तान् , सिद्धान् ૧. હે દેવી ! અહં એવા આ પરમતત્ત્વને જે વસ્તુતઃ જાણે છે તે સંસારના બંધન કાપીને પરમધામને પામે છે. Please inform us of any errors on [email protected]
SR No.008264
Book TitleMoksh marg prakashak
Original Sutra AuthorN/A
AuthorTodarmal Pandit
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2001
Total Pages391
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy