SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪ કલશાકૃત ભાગ-૨ કેમકે કર્મ વ્યાપક થઈને વિકારને કરે અને વિકાર તેનું વ્યાપ્ય થાય તેવું સ્વરૂપ નથી. સૂક્ષ્મ છે. સંપ્રદાયમાં તો પહેલાં એમ ચાલતું હતું કે-કર્મથી વિકાર થાય છે. કાલે દિલ્હીથી કાગળ આવ્યો છે તેમાં લખ્યું છે કે આત્મામાં જે બગાડ થાય છે તે કર્મથી થાય છે. અહીં કહે છે-તે વાત તદ્દન જુદી છે. કેમકે કર્મની પર્યાય છે તે જડ પરમાણું છે તેની અવસ્થા છે. અને વિકાર અવસ્થા છે તે આત્માની છે. વિકારની વિપરીત અવસ્થા છે તે પોતાનામાં છે. તે વિકારની અવસ્થા વ્યાપ્ય અને આત્મા વ્યાપક, બીજી રીતે કહીએ તો... વિકારી પર્યાય કાર્ય અને આત્મા કર્તા તે બરાબર છે. અહીંયા કર્મ જે છે તે વ્યાપક થઈને જીવની વિકાર દશા વ્યાપ્યને કરે તેમ નથી. જેમ અહીંયા શરીર ચાલે છે તો તે જડનું વ્યાપ્ય નામ કાર્ય છે. આ પરમાણું રજકણ છે તે વ્યાપક નામ કર્તા અને વ્યાપ્ય નામ પર્યાય અવસ્થા-કાર્ય તો આ જડની અવસ્થા તે રીતે થાય છે. તેમાં જે પરમાણુંનું વ્યાપ્ય-કાર્ય છે તેમાં તે પરમાણું તેનો વ્યાપક-કર્તા છે. પરંતુ આત્મા આંગળીને હુલાવી શકે તેમ ત્રણકાળમાં બનતું નથી. આહા.. હા ! સમજમાં આવ્યું?! શ્રોતા:- જીવ નીકળી જાય છે ત્યારે જ મડદું કેમ પડ્યું રહે છે? ઉત્તર:-શું મડદામાં પરમાણું નથી? ત્યારે પણ તેની અવસ્થા તેનાથી થાય છે. આ શરીર મડદું જ છે. સમયસાર કર્તાકર્મ અધિકાર ૯૬ ગાથામાં તો એમ કહ્યું છે કે અમૃત સાગર ભગવાન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. આ શરીર મૃતક કલેવર છે. આ રજકણો-પરમાણું છે તેમાં ચેતન નથી. ચૈતન્ય તો અંદર ભિન્ન ચીજ છે. અમૃત સાગર ભગવાન જે અતીન્દ્રિય આનંદનો સાગર છે તે પોતાને ભૂલીને, આ મૃતક કલેવર અર્થાત્ શરીરમાં મૂછ કરે છે. તેમ છતાં મૂછ તે આત્માનું વ્યાપ્ય-કાર્ય છે, તે કર્મનું કાર્ય નથી. દર્શન મોહનો ઉદય થયો તો આટલી મૂર્છા થઈ તેમ નથી. આહા.. હા ! ઝીણી વાતું બહુ બાપા ! વીતરાગ માર્ગ ઘણો સૂક્ષ્મ છે. અંતરમાં ભેદ કરવો (ભેદજ્ઞાન) કરવું તે વાત બતાવે છે. કહે છે-કર્મની પર્યાય કર્મમાં થાય છે તો તેનું વ્યાપ્ય વ્યાપકપણું તો પુદ્ગલ કર્મમાં છે. આત્મા તેનું વ્યાપ્ય નામ કાર્ય કરે અને કર્મની પર્યાયનો તે વ્યાપક-કર્તા થાય તેમ છે નહીં. અને કર્મ વ્યાપક અને આત્માની વિકારી પર્યાય તેનું વ્યાપ્ય એમ પણ છે નહીં. આમાં ઘણી ગરબડ છે. વીસ વર્ષ પહેલાં વર્ણજીની સાથે આ વાતની ચર્ચા કરી હતી, તે જ વાત પાછી કાલે આવી. દિલ્હીમાં જ્ઞાનમતિ છે તેણે લખ્યું છે કે-આ એકાંત છે. અહીંની વાતનો વિરોધ કરવા. તેણે લખ્યું છે-વ્યવહારનયથી આત્માનો વિકાર કર્મથી થાય છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy