SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૫O ૨૫૩ આત્મા છે. પરશેય તરીકે આ પુગલ રાગાદિ છે. તેને પર તરીકે વ્યવહારથી જાણવા લાયક જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. આ રીતે જીવન અને કર્મને શેય-જ્ઞાયક સંબંધ છે. જડકર્મની સાથે શેય-જ્ઞાયક સંબંધ છે. જડકર્મ છે તે શેય છે, આત્મા જ્ઞાયક છે. તેમ કહેવું તે પણ વ્યવહાર છે. પોતાનું સ્વરૂપ જ પોતાનું શેય છે, પોતાનું સ્વરૂપ જ પોતાનું જ્ઞાન છે અને પોતાનું સ્વરૂપ જ પોતાનું જ્ઞાયક છે. જ્ઞાન-શેય ને જ્ઞાયક જે પોતાના છે તે નિશ્ચય છે. રાગાદિ પર શેય છે તે વ્યવહાર (શેય) છે. વાત એવી છે તો આવે છે. તોપણ વ્યાપ્ય-વ્યાપક સંબંધ નથી.” શું કહે છે? જેટલા પ્રમાણમાં રાગ છે તેટલા પ્રમાણમાં સામે કર્મબંધ હોવા છતાં કર્મની પર્યાય વ્યાપ્ય અને આત્મા કર્તા અર્થાત્ વ્યાપક તેમ છે નહીં. વ્યાપ્ય નામ પર્યાય-કાર્ય અને વ્યાપક નામ કર્તા દ્રવ્ય છે. હવે કર્મની પર્યાય જેટલા અહીં પુણ્ય-પાપના ભાવ થાય છે. એટલા પ્રમાણમાં ત્યાં પરમાણુમાં કર્મની અવસ્થા થાય છે. હવે કર્મની અવસ્થા વ્યાપ્ય નામ કાર્ય અને આત્મા કર્તા તેમ છે નહીં. આહાહા! જેટલા પ્રમાણમાં રાગ-દ્વેષ એટલા પ્રમાણમાં કર્મ પરમાણું (બંધાય છે) પણ તે વ્યાપ્ય અને આત્મા વ્યાપક તેમ છે નહીં. તો પછી દુનિયાના ધંધાને શરીરની ક્રિયા તે પુદ્ગલની પર્યાયનો કર્તા આત્મા છે જ નહીં. પ્રવચન નં. ૬૫ તા. ૧૨-૮-'૭૭ કળશટીકાનો કર્તાકર્મ અધિકારનો ૫૦ મો શ્લોક છે. છેલ્લી બે લીટી છે તેમાં શું કહેવું છે? આત્મા છે તે કર્મની પર્યાયને કરે છે કે નહીં તે વાત ચાલે છે. અહીંયા આત્મા જેટલો રાગ દ્વેષ કરે તેટલો જ કર્મની પર્યાયમાં બંધન પર્યાયરૂપ થાય છે, પણ તે પર્યાયનો કર્તા આત્મા નહીં. જ્યારે જીવ પોતાનામાં અર્થાત્ પર્યાયમાં સ્વતંત્રપણે પુણ્ય-પાપના વિકાર ભાવને કરે તે સમયે કાર્માણવર્ગણામાંથી કર્મરૂપ પર્યાય થઈ તો તે પર્યાયનો કર્તા આત્મા નથી. બીજું આત્મા વ્યાપક થાય અને કર્મની પર્યાય વ્યાપ્ય નામ કાર્ય થાય તેમ છે નહીં. આહા.. હા! નજીકમાં જેટલા પ્રમાણમાં વિકલ્પ તેટલા પ્રમાણમાં (બહારમાં) પરમાણુની કર્મરૂપ અવસ્થા થાય તે અવસ્થાનો કર્તા આત્મા નહીં. તો આ શરીર, વાણી, મન ને લક્ષ્મી-ધૂળ આદિ જડ જે બહારમાં છે તેની અવસ્થાને આત્મા કરે અને આત્મા તેનો કર્તા થાય તે વાત તો ત્રણકાળમાં છે જ નહીં. તે વાત થોડી કરે છે. કર્મ અને આત્મા બે ચીજ ભિન્ન છે. તો કર્મથી વિચાર થાય છે એમ પણ નથી. કર્મ (જડ) પરમાણું છે, તે વ્યાપક થઈને એટલે કે કર્તા થઈને જીવના વિકાર પરિણામને કરે તેમ તો છે જ નહીં. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy