SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ : જૈનધર્મની વાર્તાઓ મુનિ થયા. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને સાધવા લાગ્યા. જયસેન અને મહારૂત એ બન્ને મુનિઓ સમાધિમરણપૂર્વક દેહ છોડીને સોળમા અશ્રુત સ્વર્ગમાં દેવ થયા. તેઓ એક બીજાના મિત્ર હતા, ને જ્ઞાન વૈરાગ્યની ચર્ચા કરતા હતા. એક વાર તેમણે એવી પ્રતિજ્ઞા કરી કે આપણા બેમાંથી જે પહેલાં પૃથ્વી પર અવતરીને મનુષ્ય થાય, તેને બીજો દેવ પ્રતિબોધ પમાડે, એટલે કે તેને સંસારનું સ્વરૂપ સમજાવીને વૈરાગ્ય જગાડે અને દીક્ષા લેવાની પ્રેરણા કરે. આ રીતે ધર્મમાં મદદ કરવા માટે બન્ને મિત્રોએ એકબીજા સાથે પ્રતિજ્ઞા કરી. ખરું જ છે-જીવનો સાચો મિત્ર તે જ છે કે જે ધર્મમાં મદદ કરે. - હવે તે બેમાંથી પ્રથમ જયસેન રાજાનો જીવ બાવીસ સાગરોપમ સુધી દેવલોકનાં સુખો ભોગવીને, આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યલોકમાં અવતર્યો. જ્યાં પહેલા બે તીર્થકરો તેમજ ભરત ચક્રવર્તી અવતરી ચૂક્યા હતા, એવી અયોધ્યા નગરીમાં તે અવતર્યો તેનું નામ સગરકુમાર. તે બીજો ચક્રવર્તી થયો અને છ ખંડ ઉપર રાજ્ય કરવા લાગ્યો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy