SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ : જૈનધર્મની વાર્તાઓ મુનિભાવનામાં એવા લીન થઈ ગયા છે કે આસપાસ ઉદયસુંદર ને મનોદયા ઊભાં છે તેનો ખ્યાલ નથી રહ્યો. બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે... ને તેની ભાવના ભાવી રહ્યા છે. આ દેખીને, તેના સાળા ઉદયસુંદરે હાસ્યપૂર્વક મશ્કરી કરતાં કહ્યું-અરે કુંવરજી! આમ નિશ્ચલ નયને મુનિ તરફ શું જોઈ રહ્યા છો? –કયાંક તમે પણ એવી મુનિદીક્ષા ધારણ ન કરી લેતા! વજકુમારને તો “ભાવતું' તું ને વૈદે બતાવ્યું !' તેણે તરત જ કહ્યું-વાહ ભાઈ ! તમે બહુ મજાની વાત કરી; મારા મનમાં જે ભાવ હતા તે જ તમે પ્રગટ કર્યા - હવે તમારા ભાવ શું છે–તે પણ કહો! ઉદયસુંદરે તો તે વાતને મશ્કરી સમજીને કહ્યું: કુંવરજી! જેવા તમારા ભાવ, તેવા જ મારા ભાવ! જો તમે મુનિ થતા હો તો હું પણ તમારી સાથે મુનિ થઈ જવા તૈયાર છું! –જો–જો, તમે ફરી ન જતા !! (ઉદયસુંદર તો મનમાં હજી એમ જ સમજે છે કે વજકુમારને તો મનોદયા પ્રત્યે તીવ્ર રાગ છે, એ શું દીક્ષા લેવાનો હતો! એટલે તેણે તો હાસ્યમાં ને હાસ્યમાં ઉપર Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008252
Book TitleJain Vartao 03
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1982
Total Pages85
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size803 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy