SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ : જૈન ધર્મની વાર્તાઓ હે જીવ! જો તું જન્મ-જરા-મરણનો રોગ મટાડવા ચાહતો હો ને અજર-અમર થવા માગતો હો.. તો ધર્મરૂપી અમૃતનું પાન કર. સંસારના વૈદ્ય-દોક્તરોએ ટી. બી. , કેન્સર વગેરે રોગોનું ઔષધ શોધ્યું પરંતુ જન્મમરણનો રોગ મટાડવાનું કોઈ ઔષધ તેમની પાસે નથી. તે ભવરોગ મટાડવાનું ઔષધ તો ભગવાન જિનદેવે શોધ્યું છે; –તે કયું ઔષધ? કે રત્નત્રય ધર્મરૂપી રસાયણ તે ભવરોગ મટાડવાનું અમોઘ ઔષધ છે. તેનું સેવન કરો. ધર્મના સેવનથી મોહ–રોગ મટી જશે ને મોક્ષ થશે; શરીર જ નહિ રહે, પછી રોગ કેવો ને જન્મ-મરણ કેવા? ધર્મ-ઔષધિના સેવનથી તું સિદ્ધ પદ પામીને અજર-અમર થઈશ. બધી ઋતુમાં ફળે એવું ઝાડ ગુરુદેવ કહે છે કે આત્મા તે અતીન્દ્રિય આનંદનું ઝાડ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જે આનંદદાયી ફળ છે તે આ અતીન્દ્રિય ચૈતન્ય-ઝાડમાં પાકે છે. બધી ઋતુમાં મીઠાં ફળ આપે એવું અતીન્દ્રિય આનંદનું ઝાડ આત્મા જ છે. સર્વ શોકને હરનારું અશોકવૃક્ષ પણ તે જ છે. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008251
Book TitleJain Vartao 01
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy