________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૫ અગુરુલઘુત્વગુણ કહે છે. ૧૨ પ્ર. પ્રદેશત્વગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈપણ આકાર અવશ્ય હોય. ૧૩ પ્ર. દ્રવ્યના કેટલા ભેદ છે?
ઉ. છ ભેદ છે:-જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. ૧૪ પ્ર. જીવદ્રવ્ય કોને કહે છે?
ઉ. જેમાં ચેતના ગુણ પ્રાપ્ત હોય, તેને જીવદ્રવ્ય કહે છે. ૧૫ પ્ર. પુદ્ગલ દ્રવ્ય કોને કહે છે?
ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ હોય. ૧૬ પ્ર. પુદ્ગલ દ્રવ્યના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે. એક પરમાણુ, બીજો સ્કન્ધ. ૧૭ પ્ર. પરમાણુ કોને કહે છે?
ઉ. સર્વથી નાના પુદ્ગલને પરમાણુ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com