SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૧૨૦) પ્ર. ૩૪૪-આત્માનું જ્ઞાન તે નિશ્ચય અને શરીરની ક્રિયા કરવી તે વ્યવહાર-એમ માનનાર કયા અભાવને તથા કયા ગુણને ભૂલે છે? તે સાત તત્ત્વોમાં કયા ભેદને માનતો નથી ? ઉ. (૧) તે અત્યંતાભાવ અને અગુરુલઘુત્વ ગુણને ભૂલે છે. (૨) શરીર, પુદ્ગલ-પરમાણુ દ્રવ્યની અવસ્થા હોવાથી તેની ક્રિયા (અવસ્થા) જીવ કરી શકે એમ માનનાર સાત તત્ત્વોમાંથી જીવ અને અજીવ તત્ત્વની ભિન્નતાને સમજતો નથી. પ્ર. ૩૪૫-જીવ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવને અનુકૂળ અથવા પ્રતિકૂળ માને છે તે કયા અભાવને ભૂલે છે? ઉ. તે અત્યંતભાવને ભૂલે છે. પ્ર. ૩૪૬-આ ઉપરથી સાચું શું સમજવું? ઉ. ખરેખર કોઈ પણ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ, કોઈ જીવને માટે અનુકૂળ અથવા પ્રતિકૂળ છે જ નહિ. તે તો માત્ર શેય જ છે. વાસ્તવમાં અજ્ઞાન-રાગદ્વેષરૂપ મલિન ભાવ જીવને પોતાને માટે પ્રતિકૂળ છે, તથા નિશ્ચય સમ્યગ્દર્શન, જ્ઞાન અને વીતરાગભાવ તે જ પોતાને માટે અનુકૂળ છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy