SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦). ઇષ્ટોપદેશ (ભગવાન શ્રી કુંદકુંદટી- ભવતિ રોડસૌ, ગનો નો: વિવિશિષ્ટ, -નિર્વિવેeો, ન સર્વ: किंविशिष्टो भवति, स्वस्थंमन्यः स्वस्थमात्मानं मन्यमानो अहं सुखीति मन्यत इत्यर्थः। केन कृत्वा, धनादिना द्रव्यकामिन्यादीष्टवस्तुजातेन। किंविशिष्टेन, दुर्जेण-अपायबहुलत्वाद् दुर्ध्यानावेशाच्च दु:खेन महता कष्टेनार्जित इति दुरर्जेण-तथा असुरक्ष्येण दुस्त्राणेन यत्नतोरक्षमाणस्याप्यपायस्यावश्यंभावित्वात्। तथा नश्वरेण रक्षमाणस्यापि विनाशसंभवादशाश्वतेन। अत्र दृष्टान्तमाह-ज्वरेत्यादि इव शब्दो यथार्थे यथा कोऽपि मुग्धो ज्वरवान् अतिशयेन मतेर्विनाशात् सामज्वरातः सर्पिषा धृतेन पानाधुपयुक्तेन स्वस्थमन्यो भवति। निरामयमात्मानं मन्यते ततो बुद्ध्यस्व दुरुपायंदुरक्षणभंगुरद्रव्यादिना दुःखमेव ચાતા - अर्थस्योपार्जने दुःखमर्जितस्य च रक्षणे। आये दुःखं व्यये दुःखं धिगर्थं दुःखभाजनम्।।" [ફુરજ્જૈન] મુશ્કેલીથી (કષ્ટથી) પેદા કરેલા (કમાયેલા) [ સુરક્વેળ] જેની સારી રીતે સુરક્ષા કરવી અશક્ય છે એવા [ નજરેT] નશ્વર (નાગવાન) [ બનાવના] ધન આદિથી [ āમ : ભવતિ] પોતાને સુખી માને છે. ટીકા થાય છે. કોણ છે? માણસ-લોક. કેવો (માણસ)? કોઈ એક વિવેકહીન, (કિન્ત) બધા નહિ, કેવો થાય છે? પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે; હું સુખી છું એમ માને છે- એવો અર્થ છે. શા વડે કરીને? ધનાદિવડે અર્થાત્ દ્રવ્ય, સ્ત્રી આદિ ઇષ્ટ વસ્તુઓના સમુદાય વડે. કેવા (ધનાદિ ) વડે? દુ:ખથી અર્જિત એટલે બહુ કષ્ટપણાના કારણે તથા દુર્ગાનના આવેશથી કષ્ટથી-મહાકલેશથી ઉપાર્જિત (કમાયેલ) તથા યત્નથી રક્ષવા છતાં અવયંભાવી નાશને લીધે મુશ્કેલીએ રક્ષિત તથા નશ્વર અર્થાત્ રક્ષા પામેલા ધનનો પણ વિનાશ સંભવિત હોવાથી અશાશ્વત-એવા (ધનાદિ વડે). આ વિષયમાં દષ્ટાન્ત આપે છે- “શ્વરેત્યાતિ' - [અહીં “રૂવ' શબ્દ યથા” ના અર્થમાં છે.] જેમ કોઈ એક મૂર્ખ જ્વરપીડિત મનુષ્ય અર્થાત્ સામન્વરપીડિત ( ટાઢિયા તાવવાળો) મનુષ્ય, બુદ્ધિના અતિશય બગાડથી, પાનાદિમાં (પીવા વગેરેમાં) ઉપયુક્ત (ઉપયોગમાં લીધેલા) ઘી વડે પોતાને સ્વસ્થ (નીરોગી) માને છે અર્થાત્ પોતાની જાતને રોગરહિત માને છે, તેમ મુશ્કેલીથી ઉપાર્જિત, કષ્ટથી રક્ષિત અને ક્ષણભંગુર (ક્ષણમાં નાશ પામતા) – એવા દ્રવ્યાદિ વડે દુઃખ જ હોઈ શકે- એમ તું સમજ. કહ્યું છે કે ધનના ઉપાર્જનમાં દુઃખ, ઉપાર્જિત ધનની રક્ષા કરવામાં દુ:ખ, તે આવે તોય દુ:ખ અને જાય તોય દુઃખ, માટે દુઃખના ભાઇનરૂપ (કારણરૂપ ) તે ધનને ધિક્કાર હો. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy