SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes કહાન જૈનશાસ્ત્રમાળા ) ઇષ્ટોપદેશ (૨૯ पुन: शिष्य एवाह ' न हि सर्वं विपद्वन्त: ससंपदोपि दृश्यन्त इति' भगवन् ! समस्ता अपि संसारिणो न विपत्तियुक्ताः सन्ति सश्रीकाणामपि केषांचित् दृश्यमानत्वादिति। अत्राह दुरर्ज्येनासुरक्ष्येण नश्वरेण धनादिना । स्वस्थंमन्यो जनः कोऽपि ज्वरवानिव सर्पिषा ।। १३ ।। તેથી દુ:ખના કારણભૂત અનેક વિપત્તિઓ નિરંતર આવતી હોવાથી સંસાર અવશ્ય વિનાશ કરવા યોગ્ય છે. એમ તું જાણ. ભાવાર્થ:- સંસાર ઘટીયંત્ર જેવો છે. ઘટીયંત્રને તેની પાટલીઓ ઉ૫૨ પગ મૂકી ગોળ ગોળ ચલાવવામાં આવે છે. પગથી એક પાટલી દૂર કરાય કે તરત જ બીજી પાટલીઓ એક પછી એક યંત્ર ચલાવનારની સામે ઉપસ્થિત (હાજ૨) થાય છે, તેમ સંસારમાં એક વિપત્તિ (આપદા ) દૂર કરાય કે તરત જ બીજી અનેક વિપત્તિઓ તેની સામે હાજર જ થાય છે. માટે સંસાર અવશ્ય નાશ કરવા યોગ્ય છે. સંસાર પ્રત્યેની રુચિનો ત્યાગ થતાં અર્થાત્ તેના તરફ ઉપેક્ષાબુદ્ધિ થતાં સંસારનો અભાવ થઈ જાય છે. પ૨ પદાર્થો પ્રત્યે મમત્વભાવ, અહંભાવ, કર્તૃત્વભાવ તથા રાગ-દ્વેષાદિરૂપ ભાવ- એ આંતરિક સંસાર છે, - અજ્ઞાનતાએ ઊભો કરેલો સંસાર છે. આત્મસ્વભાવની સન્મુખતાએ તેનો નાશ થતાં બાહ્ય સંયોગરૂપ સંસારનો પણ સ્વયં અભાવ થઈ જાય છે. ૧૨. ફરીથી શિષ્ય જ બોલે છે– ‘ભગવન્! બધાય વિપત્તિવાળા હોતા નથી, સમ્પત્તિવાળા (સુખી) પણ જોવામાં આવે છે અર્થાત્ બધાય સંસારીઓ વિપત્તિવાળા (દુ:ખી ) હોતા નથી કારણ કે કેટલાક લક્ષ્મીવાળા (સુખી) લોક પણ જોવામાં આવે છે. ' તેના ઉત્તરમાં આચાર્ય કહે છે શ્લોક-૧૩ અન્વયાર્થ:- જેમ [જ્વરવાન્] કોઈ જ્વરગ્રસ્ત (તાવથી પીડાતો ) માણસ [ સર્વિષા ] ઘી થી ( એટલે ઘી પીને વા શરીરે ચોપડીને) [ સ્વસ્થંમન્ય: મવતિ] પોતાને સ્વસ્થ (નીરોગી ) માને છે, [ વ ] તેમ [ : અપિ નન: ] કોઈ એક મનુષ્ય જવ૨-પીડિત જ્યમ ઘી વડે, માને નિજને ચેન, કષ્ટ-સાધ્ય ધન આદિથી, માને મૂઢ સુખ તેમ. ૧૩ Please inform us of any errors on rajesh@Atma Dharma.com
SR No.008246
Book TitleIshtopadesha
Original Sutra AuthorN/A
AuthorPujyapad
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, P000, & P020
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy