SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ્ઞાયક ભાવ ૧૫ ભવનો અંત આવે એવી વાત જાણી નથી. જ્યારે આ તો ભવના અંતવાળી ચીજ છે એમ કહે છે. અહા! ભવ ને ભવનો ભાવ તેમાં નથી. કેમ કે તે શુભાશુભપણે થયો નથી. અનાદિ અનંત અને એકરૂપ એવો જે જ્ઞાનમયરસ, ચૈતન્યધામમય ને ચૈતન્યરસકંદમય પ્રભુ આત્મા છે તે કોઈ દિ' શુભાશુભપણે થયેલ નથી. તેથી પ્રમત્ત-અપ્રમત્ત એવા ગુણસ્થાનના ભેદ તેમાં નથી. અર્થાત્ જ્ઞાયક ભાવ એકરૂપ છે. તેથી તેમાં ભેદ નથી, ગુણસ્થાનના ભેદો એમાં છે નહીં. અને તે દષ્ટિનો વિષય છે. તેમ જ તે જ્ઞાયકને અહીંયાં ભૂતાર્થ છતો પદાર્થ કહ્યો છે. અહા ! જ્ઞાયકભાવમય વસ્તુ એકરૂપ ને નિત્યાનંદ છે. તથા તે જ્ઞાયક ભાવ... જ્ઞાયક ભાવ... જ્ઞાયક ભાવ.. એમ ધ્રુવ પ્રવાહરૂપ છે, ચૈતન્યપુરના ધ્રુવ પ્રવાહરૂપ છે. પાણીનું પૂર એક સપાટીએ ચાલે છે જ્યારે આ પૂર ધ્રુવ. ધ્રુવ ઊર્ધ્વ ઊર્ધ્વ ચાલે છે. હવે કહે છે કે “વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે. એટલે જાણનારો જણાયો છે તે જાણવાની પર્યાય પોતાની છે. જાણનાર જે વસ્તુ જણાણી છે તે પર્યાય પોતાની છે. અર્થાત્ એ પર્યાય પોતાનું કાર્ય છે ને આત્મા તેનો કર્તા છે. અહા ! જાણનારો ” એવો ધ્વનિ છે ને? એટલે તે જાણનારો છે તેથીજાણે કે તે પરને જાણે છે (એમ તેને થાય છે.) કેમ કે જાણનાર કહ્યો છે ને! પ્રશ્ન:- પણ જાણનાર છે માટે પરને જાણે છે ને! સમાધાનઃ- ના. પરંતુ એ તો પરસંબંધીનું જ્ઞાન પોતાથી પોતામાં સ્વપરપ્રકાશક થાય છે. તે પર્યાય જ્ઞાયકની છે. અહા ! તે ગાયકપણે રહેલો છે તેથી જ્ઞાયકની જાણનાર Please inform us of any errors on rajesh@AtmaDharma.com UST છે.
SR No.008240
Book TitleGnaayakbhaav
Original Sutra AuthorN/A
AuthorKahanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages115
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size521 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy