SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૦] [દ્રવ્યસંગ્રહ સ્પષ્ટ કર્યું છે. ગાથા ૩૬માં સમ્યગ્દર્શનથી પવિત્ર જીવ કેવા કુળમાં જન્મે છે તથા કેવા શરીરની પ્રાપ્તિ કરે છે તે જણાવ્યું છે. એટલે તે પણ ચોથા ગુણસ્થાનવાળા જીવને પવિત્ર (નિશ્ચય) સમ્યગ્દર્શન હોય છે એમ સિદ્ધ કરે છે. આ ગાથા ૩૫-૩૬નો આધાર બૃ દ્રવ્યસંગ્રહું ગા. ૪૧ ટીકા પૃ. ૧૬૧માં લીધો છે. ગાથા ૩૪માં કહ્યું છે કે, ત્રણ કાળ અને ત્રણ લોકમાં શરીરધારીઓને સમ્યકત્વ સમાન કાંઈપણ કલ્યાણ-શ્રેય નથી અને મિથ્યાત્વ સમાન કાંઈપણ અકલ્યાણ-અશ્રેય નથી. હવે મિથ્યાત્વ તો સમ્યગ્દર્શન થતાં ચોથે ગુણસ્થાને જ જાય છે. કલ્યાણકારી સમ્યગ્દર્શન તો નિશ્ચય સમ્યગ્દર્શન છે કેમકે તે શ્રદ્ધાગુણની શુદ્ધ પર્યાય છે. વ્યવહાર સમ્યકત્વ તો શ્રદ્ધાગુણની પર્યાય જ નથી, એ તો ચારિત્રગુણની વિકારી પર્યાય અર્થાત્ શુભોપયોગ છે-એમ શ્રી પ્રવચનસારની ગાથા ૧૫૭માં શ્રી કુંદકુંદાચાર્યદેવે પોતે કહ્યું છે. માટે ચોથે ગુણસ્થાનથી જ નિશ્ચય સમ્યગ્દર્શન હોય છે એમ નિર્ણય કરવો. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાયઃ- (જે શ્રાવકાચારનું શાસ્ત્ર છે ) ગાથા રરમાં કહ્યું છે કે વિપરીત અભિનિવેશથી રહિત જીવ-અજીવાદિ તત્ત્વાર્થોનું શ્રદ્ધાન સદાકાળ કર્તવ્ય છે; એ શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે; ચોથે ગુણસ્થાનથી નિશ્ચયસમ્યકત્ત્વ હોય છે એવો તેનો અર્થ છે, કેમકે અહીં તેને આત્માનું સ્વરૂપ કહ્યુ છે અને સદા કર્તવ્ય છે એમ કહ્યું છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy