SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates મોક્ષનાં ભેદ અને લક્ષણ ] [૧૦૩ જ્યારે આત્માથી જુદા પડે ત્યારે તેની અવિપાક નિર્જરા થઈ કહેવાય છે. દ્રવ્યકર્મ અપેક્ષાએ તે અવિપાક નિર્જરા છે. જીવભાવની અપેક્ષાએ તે સકામ નિર્જરા છે. ૫. ભાવનિર્જરા-દ્રવ્યનિર્જરાઃ- સમ્યગ્દષ્ટિ, શ્રાવક, ભાવમુનિ, ઉપશમક, ક્ષપકાદિ જીવોનાં પરિણામ ઉત્તરોત્તર અનંતગુણી વિશેષ શુદ્ધિવાળાં હોય છે તે ભાવનિર્જરા છે અને તે કાળે દ્રવ્યકર્મોની અસંખ્યાત ગુણિત ક્રમથી વૃદ્ધિગત અર્થાત્ ઉત્તરોત્તર અસંખ્યાતગુણી નિર્જરા થાય છે તે દ્રવ્યનિર્જરા છે. ૩૬. મોક્ષનાં ભેદ અને લક્ષણ सव्वस्स कम्मणो जो खयहेदू अप्पणो हु परिणामो। णेओ स भावमोखो दव्वविमोखो य कम्मपुधभावो।। ३७।। सर्वस्य कर्मणः यः क्षयहेतु: आत्मनः हि परिणामः। ज्ञेयः सः भावमोक्षः द्रव्यविमोक्षः च कर्मपृथग्भाव।। ३७।। અન્વયાર્થ:- (માત્મનઃ) આત્માના (ય:) જે (પરિણામ:) પરિણામ (સર્વસ્ત્ર ર્મા:) બધાં કર્મોનો (ક્ષયદેતુ:) ક્ષય થવામાં કારણ છે (સ દિ) તે જ (ભાવમોક્ષ:) ભાવમોક્ષ (ગ્નેય:) જાણવો (૨) અને (વર્મપૃથમાવ:) આત્માથી દ્રવ્યકર્મોનું જુદા થવું તે (દ્રવ્યવિમોક્ષ:) દ્રવ્યમોક્ષ છે. ભાવાર્થ- ૧. મોક્ષ-સમસ્ત કર્મોનો ક્ષયના કારણભૂત તથા નિશ્ચયરત્નત્રયસ્વરૂપ પરમ વિશુદ્ધ પરિણામો તે ભાવમોક્ષ છે; અને પોતાની યોગ્યતાથી સ્વયં સ્વતં દ્રવ્યકર્મોનો આત્મપ્રદેશોથી અત્યંત ૧. ૫. હીરાલાલજી કૃત દ્રવ્યસંગ્રહ ગા. ૩૬, ટીકા. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy