SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪] [દ્રવ્યસંગ્રહ હોતા જ નથી, પણ કોઈ કાળે હોય છે. વળી “અંતરાત્મા' પણ તથા નિશ્ચયધર્મધ્યાન ચોથા ગુણસ્થાનથી હોય છે. જે પોતાની પર્યાય આત્માની સાથે અભેદ થતી ન હોય તો અંતરાત્માપણું અને ધર્મધ્યાન કહી શકાય નહિ. માટે આ ગુણસ્થાને શુદ્ધોપયોગ કોઈ કોઈ વખતે હોય છે અને જ્યારે ન હોય ત્યારે ચારિત્રની આંશિક શુદ્ધિરૂપ પરિણતિ નિરંતર ચાલું હોય છે એમ નિર્ણય કરવો. (૨) પાંચમે ગુણસ્થાને તો તેથી શુદ્ધિ વિશેષ હોય છે. ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ નિર્વિકલ્પ અનુભવ શીધ્ર શીધ્ર થાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય શ્રાવકોને નિશ્ચય રત્નત્રય હોય છે એમ નિયમસાર, ૧. પ્રવચનસાર પૃ. ૩૪૨. જયસેનજીએ આમ્રવન-નિબવનનું દષ્ટાંત આપ્યું છે. પંચાસ્તિકાય ગા. ૧/૬ પછી એક વધારે ગાથા શ્રી જયસેનજીએ આપી છે. તેમાં વ્યવહારમોક્ષમાર્ગી પણ કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ સમાધિકાળે નિશ્ચયમોક્ષમાર્ગ પામે છે. પણ તેને વ્યવહારનું પ્રચૂરપણું હોવાથી વ્યવહારની મુખ્યતાએ વ્યવહારમોક્ષમાર્ગી કહ્યો; કેમ કે “વિવક્ષિતો મુખ્ય ” એ વચન ત્યાં લાગુ પડે છે. પૃ. ૧૬૯. ૨. પં. બટેશ્વર શાસ્ત્રીની તસ્વાર્થ સૂત્રની ટીકામાં (પૃ. ર૬ ) ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ કહ્યો છે. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક પૃ. ૩૪૯, આત્માવલોકન પૃ. ૧૬૫. (બૃ. દ્રવ્યસંગ્રહ હિંદી, પૃ. ૧૪૮માં તેમજ કહ્યું છે. ) ૪. નિયમસાર ગાથા ૧૩૪ ટીકા પૃ. ર૬૯, સમયસાર ગા. ૪૧૦ થી ૪૧૪ તથા ટીકા. ચારિત્રપ્રાભૃત ગા. ૨૦, પ્રવચન-સાર પૃ. ૩૪૨, Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy