SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આશય રહેલો છે. પરમાર્થ પ્રતિક્રમણમાં “કર્તા નથી” તે રહસ્યનું ઉદ્દઘાટન: જે શાસ્ત્ર નિજ ભાવના માટે છે, વળી પોતે ચારિત્રવંત છે તેઓ પરમાર્થ પ્રતિક્રમણમાં “કર્તા નથી” એમ કેમ લખે છે? પૂ. ભાઈશ્રી નો આ ગાથાઓ ઉપર ઘણી વખત જાહેરમાં અને સ્વતંત્ર સ્વાધ્યાય થયેલો. પરંતુ હંમેશા અંદરથી ખટક રહેતી, જે સંતોષ થવો જોઈએ તે થતો ન હતો. વળી આચાર્ય ભગવાન કહે એટલે તેનાં ઉંડાણમાં કાંઈ રહસ્ય છુપાયેલું હોવું જોઈએ તેમ લાગતું. જ્યારે આ ગાથાનો એકાએક સહજ અંદરથી ખુલાસો આવ્યો ત્યારે પ્રમોદનો પાર નહીં, સોળે કળાએ કૌમુદી ખીલી ઉઠી. જેમની ચોથે ગુણસ્થાને કર્તબુદ્ધિ ગઈ છે તે “કર્તા નથી કેમ યાદ કરે છે? અંતરંગમાંથી સમાધાન મળ્યું કે સાધક ને સવિકલ્પદશામાં નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેવો ઉપચાર આવે છે અને એ ઉપચાર મુનિરાજને ખટકે છે. કારણકે ત્યાં સુધી શ્રેણી નથી આવતી. આ ઉપચારને નિષેધી અને અભેદ ચૈતન્ય વિલાસમાં જામી જાય છે. ગ્રંથનાં સંકલન કર્તા, સંપાદક તેમજ સહાયક કર્તાનો આભાર: જેમનું સમગ્ર જીવન દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તેમજ પૂ. ગુરુદેવશ્રી અને પૂ. ભાઈશ્રી દ્વારા ધર્મપ્રભાવનાના કાર્ય પ્રત્યે સમર્પિત અને ઉત્સાહિત છે તેવા આત્માર્થી બા. બ્ર. શોભનાબેન જે. શાહ દ્વારા આ સમગ્ર પુસ્તકનું સંકલન તેમજ સંપાદન થયેલું હોવાથી, તેમની સાથે સહકાર્ય કુશળ ઉમદા સ્વભાવી આત્માર્થી ભાઈશ્રી ચેતનભાઈ મહેતા સમગ્ર પ્રવચનો ને ઝીણવટ પૂર્વક તપાસવા બદલ તેમજ પુસ્તક પ્રકાશનનું કાર્ય ઘણું ઘણું કઠિન હોવા છતાં સમગ્ર કાર્યવાહી તેમના દ્વારા પૂર્ણ થયેલ હોવાથી સંસ્થા તેમની ઋણી છે વિડિયો પ્રવચનો આત્માર્થી ભાઈશ્રી ડો. દેવેન્દ્રભાઈ દોશી તરફથી તેમજ ઓડિયો પ્રવચનો આત્માર્થી દેવશીભાઈ ચાવડા તરફથી લખાયેલા હોવાથી સંસ્થા તેમના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. ત્રણમાસના ટૂંક સમયમાં અથાગ પરિશ્રમ લઈ અને કુંદામૃત સ્વાધ્યાય પ્રકાશનની ગ્રંથમાળામાં ચતુર્થ પુષ્પનો ઉમેરો કરવા બદલ તેમજ સર્વે તરફથી નિસ્પૃહુ સહકાર મળવા બદલ તેઓ ખરેખર ધન્યવાદને પાત્ર છેઆ સંસ્થા તેમના આ કાર્ય બદલ તેમની ઋણી છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008226
Book TitleChaitanyavilas
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2000
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy