SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪: આત્મભાવના જૈનધર્મના નામે લોકો જેને જેમ ફાવે તેમ મનાવી રહ્યા છે. અરે ! અત્યારે તીર્થકર-કેવળી-આચાર્ય-ઉપાધ્યાય ને સાધુ એ પાંચનો વિરહ પડ્યો, ને અનેક જીવો સ્વચ્છેદ પોષનારા વિરાધક પાયા... શાસ્ત્રના પણ ઊંધા અર્થો કરીને પોતાની ઊંધીદષ્ટિ પોષે છે, અને રાગથી ને દેહાદિની ક્રિયાથી ધર્મ થાય એમ માને છે. આચાર્યદેવ કહે છે કે એવા જીવો દેહને જ આત્મા માનનારા છે, ને તેના ફળમાં ફરી ફરીને દેહ ધારણ કરીને તેઓ ભવભ્રમણ કરશે. અને ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને તેમાં જ જે આત્મભાવના કરે છે તે વિદેહ પદને પામે છે એટલે કે અશરીરી સિદ્ધદશાને પામે છે. શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માની શ્રદ્ધા-જ્ઞાનલીનતા તે આત્મભાવના છે, ને એવી આત્મભાવના જ મોક્ષનું કારણ છે. આ સિવાય વ્યવહાર રત્નત્રયના રાગથી લાભ માનીને તેની જે ભાવના કરે છે તેને દેહની જ ભાવના છે. આમ સીધી રીતે તો દેહધારણ કરવાની ભાવના ભલે ન હોય, પણ દેહમાં આત્મબુદ્ધિ વર્તે છે તે જ દેહને ધારણ કરવાનું કારણ છે. દેહના લક્ષે થતા રાગાદિની જેને ભાવના છે તે પણ દેહને જ આત્મા માને છે. વ્યવહાર રત્નત્રયના રાગની જેને ભાવના છે તેને રાગથી જુદા ચૈતન્યતત્ત્વની ભાવના નથી, પણ રાગની અને રાગના ફળની જ તેને ભાવના છે, ને તે ભાવના જ ભવનું કારણ છે. ચૈતન્યસ્વરૂપ રાગરહિત નિર્વિકલ્પ છે તેની ભાવના જ મોક્ષનું કારણ છે. જુઓ, આ કાળે આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરનારા જીવો બહુ જ વિરલ થોડા છે, છતાં સત્સમાગમે આત્માના સ્વભાવનું બહુમાન કરીને તેની હા પાડનારા જીવો તો અનેક હોય છે; અને જેણે આત્મસ્વભાવનું બહુમાન કરીને તેની હા પાડી તે જીવો પણ અનુક્રમે આગળ વધીને સમ્યગ્દર્શનાદિ પામશે. પણ જેણે પહેલેથી માર્ગ જ ઊંધો લીધો છે, સત્ય સાંભળતા Please inform us of any errors on rajesh@ AtmaDharma.com જ છે.
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy