SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મભાવનાઃ ૨૭૩ હે જીવ ! તારે દેહાતીત થવું હોય તોદેહથી ભિન્ન આત્માને ભાવ. * આત્માને નહિ દેખનાર બહિરાત્મદર્શી બહિરાત્મા શું ફળ પામે છે? ને અંતરમાં આત્માને દેખનાર અંતરાત્મા શું ફળ પામે છે? તે બતાવે છે देहान्तरगतेर्बीजं देहेस्मिन्नात्मभावना । बीजं विदेहनिष्पत्तेरात्मन्येवात्मभावना।।७४।। આ શરીર તે હું છું-એવી દેહમાં જ આત્મભાવના તે નવા નવા શરીર ધારણ કરવાનું બીજ છે, અને દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ આત્મભાવના તે દેહરહિત એવા વિદેહી સિદ્ધપદનું કારણ છે. એકકોર દેહભાવના, ને બીજીકોર આત્મભાવના,-એમ બે જ ભાગ લીધા છે. રાગાદિ ભાવોથી જે આત્માને લાભ માને છે તેને પણ ખરેખર દેહમાંજ આત્મભાવના છે; રાગથી જેણે લાભ માન્યો તેને તે રાગના ફળમાં જે જે સંયોગ મળશે તેમાં પણ તે આત્મબુદ્ધિ કરશે, ને તેથી નવા નવા દેહને ધારણ કરીને સંસારમાં રખડશે. પણ અરે! હું તો રાગથી પા૨, ને દેહથી પાર ચૈતન્યતત્ત્વ છું-એવી આત્મભાવના કરવી તે મોક્ષનું કારણ છે. આવી આત્મભાવનાવાળો જીવ પોતે શરીરાદિ જડપ્રાણોને અનુસરતો નથી, તેથી તે પ્રાણો પણ તેને અનુસરતા નથી, એટલે તે જીવને પ્રાણધારણ (ભવભ્રમણ ) થતું નથી. જે જીવ શરીરાદિ જડપ્રાણોનું મમત્વ કરે છે તેને જ તે પ્રાણ વળગે છે એટલે કે ભવભ્રમણ થાય છે. જુઓ, અત્યારે તો રાજા વગરના રાજ જેવું થઈ ગયું છે; Please inform us of any errors on [email protected]
SR No.008213
Book TitleAtma Bhavna
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain, Kanjiswami
PublisherHarilal Jain
Publication Year1972
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy