SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૩) (અષ્ટપાર્ટુડ અર્થ:- જે લિંગીધારી પંથલી અર્થાત્ વ્યભિચારિણી સ્ત્રીના ઘરે ભોજન લે છે, આહાર કરે છે અને નિત્ય તેની પ્રશંસા કરે છે કે આ મોટી ધર્માત્મા છે, તેની સાધુઓમાં ઘણી ભક્તિ છે.-આ પ્રકારે હંમેશા તેની પ્રશંસા કરે છે, આ પ્રમાણે શરીરને પોષે છે. આવા લિંગી બાળસ્વભાવને પામે છે, અજ્ઞાની છે, ભાવથી વિનષ્ટ છે, તે શ્રમણ નથી. ભાવાર્થ:- જે લિંગ ધારણ કરીને વ્યભિચારિણીનો આહાર ખાઈને શરીરને પોષે છે, તેની નિત્ય પ્રશંસા કરે છે ત્યારે જાણો કે આ પણ વ્યભિચારી છે, અજ્ઞાની છે, તેને લજ્જા પણ આવતી નથી. આ પ્રકારે ભાવથી ભ્રષ્ટ છે, મુનિત ભાવ નથી. ત્યારે મુનિ કેવો? ૨૧ હવે આ લિંગ પાહુડને સંપૂર્ણ કરે છે અને કહે છે કે જે ધર્મનું યથાર્થરૂપથી પાલન કરે છે તે ઉત્તમ સુખ પામે છે – इय लिंगपाहुडमिणं सव्वंबुद्धेहिं देसियं धम्म। पालेइ कट्ठसहियं सो गाहदि उत्तम ठाणं ।। २२।। इति लिंगप्राभृतमिदं सर्वं बुद्धैः देशितं धर्मम्। पालयति कष्टसहितं स: गाहते उत्तम स्थानम्।। २२।। એવી રીતે સર્વશે કથિત આ લિંગપ્રાભૃત જાણીને, જે ધર્મ પાળે કષ્ટ સહ, તે સ્થાન ઉત્તમને લહે. ૨૨ અર્થ:- આ પ્રકારે આ લિંગપાહુડ શાસ્ત્રનો સર્વ જ્ઞાની ગણધરાદિએ ઉપદેશ આપ્યો છે તેને જાણીને જે મુનિ ધર્મને પ્રયત્નપૂર્વક ઘણા કષ્ટ સાથે પાળે છે, રક્ષા કરે છે તે ઉત્તમ સ્થાન જે મોક્ષ તેને પામે છે. ભાવાર્થ:- આ મુનિનું લિંગ છે તે ઘણા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેને પ્રાપ્ત કરીને પણ ફરી ખોટા કારણો મેળવીને તેને બગાડે છે તો જાણો કે આ મોટો દુર્ભાગી છે. ચિંતામણિ રત્ન પામીને કોડીના બદલામાં નષ્ટ કરે છે. તેથી આચાર્યે ઉપદેશ આપ્ય પદ પામીને તેની મહાયત્નપૂર્વક રક્ષા કરવી. કુસંગતિ કરીને બગાડશો તો જેમ પહેલાં સંસારમાં ભ્રમણ કરતો હતો તેવી જ રીતે ફરી સંસારમાં અનંતકાળ સુધી ભ્રમણ કરવું પડશે. જો યત્નપૂર્વક મુનિત્વનું પાલન કરશો તો શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થશે. તેથી જેને મોક્ષની ઇચ્છા હોય તે મુનિ-ધર્મને પ્રાપ્ત કરીને યત્નપૂર્વક પાલન કરે, પરિષહુ-ઉપસર્ગ આવે તો પણ ચલાયમાન ન થવું. આ સર્વજ્ઞદેવનો ઉપદેશ છે. ૨૨ ૧. કષ્ટ સહુ = કષ્ટ સહિત પ્રયત્ન પૂર્વક. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy