SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૮ (અષ્ટપાહુડ છે અક્ષધી બહિરાત્મ, આતમબુદ્ધિ અંતર-આતમા, જે મુક્ત કર્મકલંકથી તે દેવ છે પ૨માતમા. ૫ અર્થ:- અક્ષ અર્થાત્ સ્પર્શન આદિ ઇન્દ્રિયો તે તો બાહ્ય આત્મા છે, કેમકે ઇન્દ્રિયોથી સ્પર્શ આદિ વિષયોનું જ્ઞાન થાય છે. તેથી તો લોકો કહે છે કે આવી જે ઇન્દ્રિયો છે તે જ આત્મા છે આ પ્રકારે ઇન્દ્રિયોને બાહ્ય આત્મા કહે છે. અંતરાત્મા છે તે અંતરંગમાં આત્માનો પ્રગટ અનુભવગોચર સંકલ્પ છે. શરીર અને ઇન્દ્રિયોથી ભિન્ન મન દ્વારા દેખવા-જાણવાવાળો છે તે હું છું-આ પ્રકારે જેને સ્વસંવેદનગોચર સંકલ્પ છે તે જ અંતરાત્મા છે. તથા કર્મ જે દ્રવ્યકર્મજ્ઞાનાવરણાદિક તથા ભાવકર્મ-જે રાગદ્વેષ-મોહાદિક અને નોકર્મ-જે શરીરાદિક-કલંક-મળ તેમનાથી રહિત-વિમુક્ત અનંત જ્ઞાનાદિક ગુણસહિત છે તે જ પરમાત્મા છે, તે જ દેવ છે. અન્યને દેવ કહેવા તે તો ઉપચાર છે. ભાવાર્થ:- બાહ્ય આત્મા તો ઇન્દ્રિયોને કહ્યો તથા અંતરાત્મા-દેહમાં સ્થિતને દેખવાજાણવાનું જેનાથી થાય છે એવા મન દ્વારા સંકલ્પ છે તેને અને પરમાત્મા-કર્મકલંકથી રહિત છે તેને કહ્યો. અહીં એમ બતાવ્યું છે કે આ જીવ જ્યાંસુધી બાહ્ય શરીરાદિકને જ આત્મા જાણે છે ત્યાં સુધી તો તે બહિરામાં છે. સંસારી છે. જ્યારે આ જ જીવ અંતરંગમાં આત્માને જાણે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય છે. ત્યારે તે અંતરાત્મા છે. અને આ જીવ જ્યારે પરમાત્માના ધ્યાનથી કર્મકલંકથી રહિત થાય છે ત્યારે પહેલાં તો કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને અરહંત થાય છે, પછી સિદ્ધપદ પ્રાપ્ત કરે છે-આ બન્નેને જ પરમાત્મા કહે છે. અરહંત તો ભાવકલંક રહિત છે અને સિદ્ધ દ્રવ્ય અને ભાવરૂપ બન્ને પ્રકારના કલંકથી રહિત છે-આ પ્રમાણે જાણો. ૫ હવે તે પરમાત્માના વિશેષણ દ્વારા તેમનું સ્વરૂપ કહે છે: मलरहिओ कलचत्तो अणिंदिओ केवलो विसुद्धप्पा। परमेट्ठी परमजिणो सिवंकरो सासओ सिद्धो।।६।। मलरहितः कलत्यक्तः अनिद्रिय केवल: विशुद्धात्मा। परमेष्ठी परमजिन: शिवंकर: शाश्वतः सिद्धः।।६।। તે છે વિશુદ્ધાત્મા, અનિન્દ્રિય, મળરહિત તનમુક્ત છે, પરમેષ્ઠી, કેવળ, પરમજિન, શાશ્વત, શિવંકર સિદ્ધ છે. ૬ અર્થ - પરમાત્મા આવા છે:- “મળરહિત-દ્રવ્યકર્મ-ભાવકર્મરૂપ મળથી રહિત છે; ‘કલક્ત'–શરીર રહિત છે; “અનિન્દ્રિય” –ઇન્દ્રિય રહિત છે અથવા કોઈ પ્રકારની નિંદા ૧ અક્ષધી = ઇન્દ્રિયબુદ્ધિ; “ઇન્દ્રિયો તે જ આત્મા છે' એવી બુદ્ધિવાળો. ૨ શિવંકર = સુખકર, કલ્યાણકર. Please inform us of any errors on [email protected]
SR No.008210
Book TitleAshtapahuda
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherKanjiswami Smarak Trust Devlali
Publication Year
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Sermon
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy